અમરેલી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આરંભેલી રાજ્યની વિકાસયાત્રાના ૨૩ વર્ષની ઉજવણી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ઓક્ટોબર-૨૦૦૧થી ગુજરાતના વિકાસની વણથંભી યાત્રા શરુ થઈ તેને તા.૭ ઓક્ટોબર, ૨૦૨૪ના ૨૩ વર્ષ પૂર્ણ  થયા છે.ગુજરાતમાં સુશાસન અને વિકાસની ૨૩ વર્ષની વણથંભી યાત્રાની ઉજવણીના ભાગરુપે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.આ ઉજવણી દરમિયાન અનેકવિધ રચનાત્મક કાર્યક્રમો યોજાવાના છે. આ અભિયાનમાં નાગરિકો પણ સહભાગી બની શકે છે અને ભારત વિકાસની પ્રતિજ્ઞા લઈ સર્ટિફિકેટ મેળવી શકે છે.  ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી  https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ રાજ્યના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકે છે.

ભારત વિકાસ પ્રતિજ્ઞા’

  હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..

* મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ.

* હું સ્વનો વિચાર કરતા પહેલાં સર્વનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ.

* હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ.

* હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ.

* જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.

*પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ. રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.

Related Posts