સૌરાષ્ટ - કચ્છ

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કહ્યું કે, રામકથાની ભાવના બધાને એક કરે છે

કોરોનાકાળ વચ્ચે સદાયથી ખોખરા હનુમાનજી ધામની પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ હાલ રામકથા અને ગુજરાતમાં પ્રથમ વખત અહીં ૧૦૮ ફૂટની હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ કરાયું છે, જેમાં સાત લાખ રામનામ લખવામાં આવ્યાં છે. આવનારા સમયમાં અહીં વાનપ્રસ્થાનગૃહ અને અતિથિગૃહ પણ બનાવવામાં આવશે. આ મોરબીના ભરતનગર બેલા ગામને જાેડતા માર્ગ પર આવેલા ખોખરા હનુમાનજી ધામ ખાતે નિર્માણ પામેલી ૧૦૮ ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું હનુમાનજયંતીના પાવન દિવસે ઁસ્ મોદીના હસ્તે વર્ચ્યુઅલી અનાવરણ કરવામાં આવ્યું હતું. દેશના ચારેય ખૂણે હનુમાનજીની પ્રતિમા બનાવવાનો પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે મોરબીમાં આજે હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું વર્ચ્યુઅલી અનાવરણ ઁસ્ મોદીએ કર્યું છે. એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો-મહંતો, ગૌશાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતિના પાવન અવસર પર તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ શુભ અવસર પર આજે મોરબીમાં હનુમાનજીની આ ભવ્ય મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશ અને દુનિયાભરના હનુમાન ભક્તો માટે આ ખૂબ જ ફાયદાકારક છે. હનુમાનજી દરેકને તેમની ભક્તિ, તેમની સેવા સાથે જાેડે છે.

દરેક વ્યક્તિને હનુમાનજી પાસેથી પ્રેરણા મળે છે. હનુમાનજી એ એવી શક્તિ અને શક્તિ છે જેમણે વનમાં રહેતી તમામ પ્રજાતિઓ અને વનબંધુઓને આદર અને આદર આપવાનો અધિકાર આપ્યો. એટલા માટે હનુમાનજીએ એક ભારત, શ્રેષ્ઠ ભારતના પણ મહત્વના સૂત્ર છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે દેશના વિવિધ ભાગોમાં રામ કથાનું પણ આયોજન કરવામાં આવે છે. ભાષા-બોલી ગમે તે હોય, પણ રામકથાની ભાવના સૌને એક કરે છે, ભગવાનની ભક્તિ સાથે જાેડે છે. આ ભારતીય આસ્થા, આપણી આધ્યાત્મિકતા, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાની તાકાત છે. મોરબીના ભરતનગર નજીક ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ગુજરાતના ગૌરવ સમી સૌથી ઊંચી ૧૦૮ ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમા સતત ત્રણ વર્ષની અથાગ મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમાની વિશેષતા એ છે કે પ્રતિમામાં સાત લાખ રામનામ લખેલી ચિઠ્ઠીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખોખરા ધામમાં કનકેશ્વરી દેવીના વ્યાસાસને ચાલતી રામકથા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો-મહંતો, ગૌશાળા-સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો છે.

આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય, ગુજરાત સરકારના મંત્રી પ્રદીપભાઈ પરમાર, કચ્છ-મોરબી લોકસભા વિસ્તારના સંસદ તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિમા મોરબીમાં બાપુ કેશવાનંદ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે. આખા દેશમાં ભગવાન હનુમાનના ચાર ધામ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ હનુમાનજીની પ્રથમ પ્રતિમા શિમલામાં ૨૦૧૦માં સ્થાપિત કરાઇ હતી, જ્યારે દક્ષિણમાં રામેશ્વરમમાં આવી જ એક પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મોરબીમાં બાપુ કેશવાનંદ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવેલી આ પ્રતિમાનું સતત ત્રણ વર્ષથી નિર્માણકાર્ય ચાલી રહ્યું છે.શરૂઆતમાં જાણીતા સંત કેશવાનંદ બાપુ તેમની હયાતી વખતે અહીં વારંવાર આવતા અને હનુમાનજીની પૂજા-અર્ચના કરતા હતા. તેઓ અવસ્થતા કે થાક લાગે ત્યારે અહીં આવીને આધ્યામિક અને માનસિકને શાંતિ અનુભવતા હોવાથી હનુમાનજીને ડોક્ટરની ઉપાધિ આપી હતી. ત્યાર બાદ સીતારામબાપુ આ ખોખરા ધામમાં રહીને પૂજા-અર્ચના કરતા હતા.

Related Posts