મહેસાણાના તરભમાં આવેલા વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થનારી છે. વાળીનાથ મંદિરે આગામી ૧૬ ફેબ્રુઆરીથી ૨૨ ફેબ્રુઆરી સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાનાર છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. વડાપ્રધાન મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદીત્યનાથ તેમજ શંકારાચાર્યજી તથા દેશભરમાંથી સંતો મહંતો ઉપસ્થિત રહેશે. સાત દિવસ ચાલનારા આ મહોત્સવમાં પ્રતિદિન ત્રણેક લાખ ભક્તો ઉપસ્થિત રહેશે, જ્યારે ૨૨ ફેબ્રુઆરીએ પાંચ લાખ ભક્તો ઉમટવા સંભાવનાઓ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૨ ફેબ્રુઆરીએ મહેસાણા આવશે . વાળીનાથ મંદિરે આગામી ૧૬ ફેબ્રુઆરીથી ૨૨ ફેબ્રુઆરી સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

Recent Comments