અમરેલી

વડીયા સિંચાઇ યોજના ૧૦૦ % ભરાતા અમરેલી જિલ્લા અને રાજકોટ જિલ્લાના અસરગ્રસ્ત ગામોને સાવચેત રહેવા અનુરોધ

અમરેલી જિલ્લાના વડીયા – કુંકાવાવ તાલુકાના વડીયા ગામ પાસે સુરવો નદી ઉપર આવેળા વડીયા સિંચાઇ યોજનાની આજ રોજ તા. ૨૭ ઓગસ્ટ , ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૭.૩૦ કલાકે ડીઝાઇન સ્ટોરેઝના ૧૦૦ % પૂર્ણ સપાટી ભરાયેલ હોય અને હાલ જળાશયમાં પાણીની આવક શરુ હોય આથી આ જળાશયમાં પાણીની આવક વધતા આ જળાશયના ગમે તે સમયે જળાશયના દરવાજા ખોલવામાં આવશે આથી નીચવાસના ગામ લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા તેમજ સાવચેત રહેવા સૂચના છે.ઓવરફલો થતાં અમરેલી જિલ્લાના (૧) વડીયા અને રાજકોટ જિલ્લાના (૧)ચારણીયા,(૨)ચારણ, સમઢીયાળા, (૩) થાણા ગાલોલ ગામોને અસર થવાની સંભાવના છે. આથી અમરેલી અને રાજકોટ જિલ્લાના નાગરિકોને સાવચેતી રાખવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ છે.

Related Posts