વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે લોકો જીવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી અચાનક જ એકતાનગરની મુલાકાતે પહોંચી ગયા હતા. આમ સીએમને પોતાના વિસ્તારમાં આવેલા જાેઇને સ્થાનિક લોકો અચંબામાં મુકાઇ ગયા હતા. આ દરમિયાન એક વૃદ્ધ મહિલા સહિત સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારની મુશ્કેલી અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ પણ તેમની મુશ્કેલીઓ દૂર કરવાની હૈયાધારણા આપી હતી. સાહેબ તમે ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઇક કરી આપો.
તમે સીએમછો અને અમારા એકતાનગરમાં આવ્યા છો, બાકી કોઇ અમારા એકતાનગરમાં આવવા રાજી નથી. તમારી મહેરબાની કે તમે અમારે ત્યાં આવ્યા છો. પણ અમારી સમસ્યાનું નિવારણ તમે લાવી આપો. પાણી અને ગટરની સમસ્યા દૂર કરી આપો. બીજી તરફ રાજકીય અગ્રણીઓને મુખ્યમંત્રીની એકતાનગરની મુલાકાત અંગે કોઇ ન હોવાનું જાણવા મળ્યું છે. આમ સીએમ(કોમન મેનની જેમ) કોઇને જાણ કર્યા વિના જ વડોદરાના એકતાનગરમાં પહોંચી ગયા હતા. જેના પગલે સ્થાનિક લોકોમાં પણ ખુશી જવા મળી હતી. વડોદરાથી નીકળ્યા બાદ સીએમવાઘોડિયાના સુખલીપુરા ગામમાં પહોંચ્યા હતા અને ત્યાંના લોકોની સમસ્યાઓ સાંભળી હતી
અને ત્યાંથી વડોદરા આવીને હરણી વિમાની મથકે પહોંચ્યા હતા અને ત્યાંથી યોગી આદિત્યનાથની શપથવિધિમાં હાજરી આપવા માટે લખનઉ જવા રવાના થયા હતા.રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડોદરાના આજવા રોડ પર આવેલા એકતાનગરની ઓચિંતી મુલાકાત લીધી હતી. સીએમને પોતાના વિસ્તારમાં જાેઇને સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા હતા અને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સાહેબ ગરીબ લોકો માટે પાણી અને ગટરનું કંઇક કરી આપો. તમે સીએમછો અને અમારા એકતાનગરમાં આવ્યા છો, બાકી કોઇ અમારા એકતાનગરમાં આવવા રાજી નથી. તમારી મહેરબાની કે તમે અમારે ત્યાં આવ્યા છો.
Recent Comments