વડોદરામાં ૧૦ મહિના અગાઉ શહેરના અલકાપુરી ગરનાળામાં આગ લાગવાના કારણે ગરનાળામાં થયેલું બ્યુટીફીકેશન સળગીને ખાક થઈ ગયું હતું. પરંતુ આજદિન સુધી સમારકામ અથવા રીનોવેશન કરવામાં ન આવતા આ ગરનાળામાંથી પસાર થતા રાહદારીઓ તથા વાહન ચાલકો ઉપર મળમૂત્રના દૂષિત પાણી પડી રહ્યું છે. જેના કારણે રોજબરોજ પસાર થતા રાહદારી તથા ટુ વ્હીલર વાહનચાલકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. આ ગરનાળા નીચેથી માત્ર સામાન્ય લોકો પસાર થાય છે તેવું નથી.
આ ગરનાળા નીચેથી સરકારી એ.સી. કારોમા કલેક્ટર, પોલીસ કમિશનર, સહિત કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેશનના સત્તાધારી પક્ષના હોદ્દેદારો પણ પસાર થઇ રહ્યા છે. છતાં, આ ગંભીર પ્રશ્ને આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે આ ગરનાળામાંથી રોજ પસાર થતાં લોકોમાં આ સમસ્યામાંથી છુટકારો અપાવવા માંગ ઉઠી છે. ગરનાળા નીચેથી પસાર થતાં લોકો જણાવી રહ્યા છે કે, સત્તાવાળાઓ દ્વારા વિકાસની વાતો કરવામાં આવતી હોય. પરંતુ વાસ્તવિકતા અલગ છે.
સત્તાધીશોના ખાડે ગયેલા વહિવટના કારણે શહેરી જનોને રેલવે સ્ટેશન ગરનાળાની છત ઉપરથી પડી રહેલા દુષિત પાણી વચ્ચે પસાર થવાનો વખત આવ્યો છે.વડોદરા શહેરના રેલવે સ્ટેશનનું લાખો રૂપિયાના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું છે. પરંતુ દુઃખની વાત એ છે કે, સયાજીગંજથી અલકાપુરીને જાેડતા રેલવે ગરનાળાની છત ઉપરથી સતત ટપકતાં દુષિત પાણીના કારણે ગરનાળા નીચેથી પસાર થવું મુશ્કેલ થઇ ગયું છે. છેલ્લા ૧૦ માસ ઉપરાંતથી આ ગરનાળાનું સમારકામ કરવામાં ન આવતા આ ગરનાળા નીચેથી રોજ પસાર થતા લોકોમાં જવાબદાર તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
Recent Comments