ગુજરાત

વડોદરાની ઓઈલ કોર્પોરેશન લિમિટેડની રિફાઈનરીમાં જાેરદાર ધડાકો સાથે આગ લાગી

વડોદરા જિલ્લાના કોયાલી વિસ્તારમાં આવેલી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની રિફાઈનરીમાં સોમવારે જાેરદાર વિસ્ફોટ થયો હતો. વડોદરા જિલ્લાના કોયાલી વિસ્તારમાં આવેલી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની રિફાઈનરીમાં સોમવારે જાેરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ ૈર્ંંઝ્રન્ રિફાઈનરીની સ્ટોરેજ ટાંકીમાં થયો હતો. બ્લાસ્ટ બાદ રિફાઈનરીમાં આગ ફાટી નીકળી હતી. જેનો ધુમાડો કેટલાય કિલોમીટર સુધી દેખાતો હતો. આગની ઘટના બાદ આસપાસની કંપનીઓ પણ ગભરાઈ ગઈ છે. હાલ ૧૦ જેટલા ફાયર ફાયટર આગ પર કાબુ મેળવવા માટે કામે લાગ્યા છે. આ ભીષણ આગને કાબુમાં લેવા માટે વહીવટી તંત્ર કામે લાગી ગયું છે.

વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહે જણાવ્યું હતું કે વિસ્ફોટ લગભગ ૩.૫૦ કલાકે થયો હતો. વડોદરાના કોયાલી વિસ્તારમાં આવેલી ૈર્ંંઝ્રન્ રિફાઈનરી એ ભારત સરકારની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનનું એન્ટરપ્રાઈઝ છે. આગની ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તમને જણાવી દઈએ કે ૨૦ વર્ષ પહેલા પણ વડોદરામાં ફ્લુઇડ કેટાલિટીક ક્રેકરમાં આવી ઘટના બની હતી. ૨૦૦૫ની આ ઘટનામાં ઓછામાં ઓછા ૧૩ લોકો ઘાયલ થયા હતા. ફ્લુઇડ કેટાલિટીક ક્રેકર પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો, જે બાદ આગ ફેલાઈ ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ લેતા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. ત્યારે ૧૦ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આપને જણાવી દઈએ ફાયર બ્રિગેડની ટીમે આગ પર ફોમ છાંટી આગને કાબૂમાં લીધી હતી.

તેમજ આગને બુજાવવા હજારો ટન ફોમ ઉપયોગમાં લેવામાં આવ્યુ હતું.આગ લાગ્યા બાદ બેન્ઝીનની એક ટેન્ક બાદ બીજી ટેન્ક ફાટતા મામલો ગંભીર બન્યો હતો. એટલુજ નહિ ઘટના સ્થળની નજીક વધુ એક ૩૦૦૦ ન્દ્ભની બેન્ઝીનની ટેન્ક હતી. જાે ૩૦૦૦ ન્દ્ભની ટેન્ક ફાટી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેવું સ્થાનીકનું કહેવું છે. હાલ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. આ ઘટના બાદ પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર બ્રિગેડ સહિત અનેક એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બેન્ઝીન કેમિકલથી થોડા દૂર રહેલી નેપ્થા ની ૬ ટેંક ખૂબ જાેખમકારક હતી. જાે નેપ્થા ની ટેન્કોમાં અસર થઈ હોત તો વડોદરાની આસપાસના ગામમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોત.ગુજરાત રિફાઇનરીમાં મોટા પ્રમાણમાં નેપ્થા અને ન્ઁય્ ગેસનો જથ્થા હોવા ને કારણે તંત્રમાં આંતરિક ભય ફેલાયો હતો.નેપ્થા ની ટેન્કો ને બચાવવા તાબડતોબ બ્રિગેડકોલ જાહેર જરાયો હતો.જાે આગનું સ્વરૂપ વધારે વિકરાળ બન્યું હોત તો વડોદરા ગામ અને શહેરમાં હજાેરો લોકો અસરગ્રસ્ત થયા હોત. ત્યારે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે.

Related Posts