વડોદરા શહેરના ગાજરાવાડી સુએઝ પંમ્પિંગ સ્ટેશન પાછળ છેલ્લા ૩૫ વર્ષથી સ્લોટર હાઉસ કાર્યરત છે. વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત આ સ્લોટર હાઉસ અન્યત્ર ખસેડવા માટે સ્થાનિક અને સિનિયર કોંગ્રસ કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ જ્યારથી કાઉન્સિલર બન્યા છે, ત્યારથી આ સ્લોટર હાઉસ શહેર બહાર ખસેડવા માટે રજૂઆત કરી છે. અનેક વખત આદોલન પણ કર્યાં છે. પરંતુ, સળેલા ઢોર જેવા રાજકારણના કારણે સ્લોટર હાઉસ ખસેડવામાં આવતું નથી. વડોદરા શહેરના માર્ગોને ૧૫ દિવસમાં રખડતી ગાયો મુક્ત કરવાની ગુલબાંગો હાકનાર ટેકનોક્રેટ મેયર શહેરના માર્ગોને રખડતી ગાયો મુક્ત કરવામાં ભલે નિષ્ફળ ગયા. પરંતુ, જાે મેયર ગાજરાવાડી સુએઝ પંમ્પિંગ સ્ટેશન પાછળ આવેલ સ્લોટર હાઉસ શહેર બહાર ખસેડી સ્થાનિક લોકોને દુર્ગંધ મુક્ત કરે તો પણ શહેરના માર્ગો ઉપર રખડતી ગાયો મુક્ત કરવાની જે ગુલબાંગો હાકી જે આબરૂ બગાડી છે.
તે આબરૂ મહદઅંશે સચવાઇ જશે. મોટી જાહેરાતો કર્યાં બાદ દરેકમાં નિષ્ફળ ગયેલા મેયર આ સ્લોટર હાઉસ શહેર બહાર લઈ જાય તેવી સ્થાનિક કાઉન્સિલર અને સ્થાનિક લોકો પણ આશા રાખી રહ્યા છે. કોંગ્રેસના કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવની કોર્પોરેશનમાં કદાચ આ ટર્મ છેલ્લી હોઇ શકે. ત્યારે તેઓ પણ ઇચ્છી રહ્યા છે કે, કોર્પોરેશનમાં બાકી રહેલા કાર્યકાળ દરમિયાન ગાજરાવાડી સુએઝ પમ્પિંગ સ્ટેશન પાછળ આવેલું સ્લોટર હાઉસ શહેર બહાર લઈ જવામા આવે. જાેકે, સત્તાધારી પક્ષ ભાજપ મરેલા ઢોર જેવું રાજકારણ રમી આ સ્લોટર હાઉસ ખસેડવાનુ નામ લેતું નથી અને પ્રજા હિતની ખોખલી વાતો કરી સ્લોટર હાઉસની આસપાસ રહેતા લોકોને દુર્ગંધમય વાતાવરણમાં રહેવા મજબૂર કરી રહ્યા છે.
સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે કોર્પોરેશનની સ્માર્ટ સિટીની વાતો ને વાહિયાત ગણાવતા જણાવ્યું છે કે, જ્યાં સુધી આ સ્લોટર હાઉસ શહેર બહાર ન લઈ જવાય ત્યાં સુધી સ્માર્ટ સિટીની વાતો કરવી સત્તાધારી પક્ષ માટે શરમજનક બાબત છે. વડોદરા શહેરના ગાજરાવાડી સુએઝ પંમ્પિંગ સ્ટેશન પાછળ છેલ્લા ૩૫ વર્ષથી પ્રતિદિન ૫૦થી ૬૦ જેટલા ઢોર કાપવામાં આવે છે. આ કપાતા ઢોરના કારણે સ્થાનિક લોકોને અને આસપાસના વિસ્તારના પાંચ કિલોમીટર વિસ્તારના રહીશોને રહેવું હવે મુશ્કેલ થઈ ગયું છે. ૨૪ કલાક આ સ્લોટર હાઉસના કારણે લોકોને દુર્ગંધનો સામનો કરવાનો વખત આવ્યો છે. એ તો ઠીક, આસપાસની સોસાયટીના વિસ્તારોમાં હવે કોઈ માતા-પિતા પોતાની દીકરીઓ પણ ત્યાં પરણાવવા માટે તૈયાર નથી.
અસહ્ય દુર્ગંધ મારતી હોવાથી લોકોને ઘરના દરવાજા અને બારી બારણા બંધ રાખવાની ફરજ પડી રહી છે. બાળુ શુક્લ મેયર હતા. ત્યારે તેઓએ પ્રતિદિન ૧૫ ઢોલનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે થાય તે રીતનું આયોજન કર્યું હતું. પરંતુ આજની તારીખમાં પ્રતિદિન ૫૦થી ૬૦ ઢોર કટીંગ માટે આવતા હોવાથી મુશ્કેલી વધી રહી છે. પશુઓના કારણે આસપાસના વિસ્તારોમાં લોકોને દિવસ પસાર કરવો મુશ્કેલ થઈ ગયો છે. કુતરાઓ પણ ઘણીવાર માસના લોચા લઇને લોકોના ઘર સુધી પહોંચી જાય છે. આવી ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા સ્થાનિક લોકો દ્વારા હવે કોર્પોરેશનમાં બેઠેલા સત્તાધીશોને આ સ્લોટર હાઉસ અન્યત્ર ખસેડવા માટે વિનંતી કરી રહ્યા છે. સાથે હું પણ કોર્પોરેશનને વિનંતી કરું છું કે આ સ્લોટર હાઉસ અન્યત્ર ખસેડવામાં આવે. જાે કોર્પોરેશન દ્વારા આ સ્લોટર હાઉસ અન્યત્ર ખસેડવામાં આવશે. તોજ હું માનીસ કે, કોર્પોરેશન સ્માર્ટસિટી માટે ખરેખર કામ કરી રહ્યું છે.
Recent Comments