ગુજરાતમાં દિવસે દિવસે ક્રાઇમની ઘટનામાં વધારો થતો જઇ રહ્યો છે. વડોદરામાં પણ હવે ધીરે ધીરે જાણે ગુનાખોરીનું પ્રમાણ વધતુ જઇ રહ્યુ છે. તાજેતરમાં જ તેનું ઉદાહરણ સામે આવ્યુ છે. વડોદરાના તરસાલી ગામમાં એક વૃદ્ધાની હત્યા કરી દેવામાં આવી છે. જાે કે હત્યાનું કારણ હજુ સુધી અકબંધ છે. મૃતક વૃદ્ધા અમીન ખડકીમાં રહેતા હતા. તેમનું નામ સુલોચના અમીન હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધાની હત્યા કયા સંજાેગોમાં થઇ અને કોણે હત્યા કરી તેનું સાચુ કારણ હજી સામે આવ્યું નથી. જાે કે મકરપુરા પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચી હતી. સાથે હ્લજીન્ની ટીમે પણ તપાસ હાથ ધરી છે. હાલ તો, મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
વડોદરામાં તરસાલી ગામમાં વૃદ્ધાની રહસ્યમય રીતે હત્યા કરાઈ

Recent Comments