વડોદરામાં પોલીસકર્મીના પુત્રએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરાના ઉંડેરા તળાવમાંથી ૧૮ કલાક બાદ પોલીસ પુત્રનો મૃતદેહ મળ્યો છે. જેનું નામ નિરવ છે, જેણે આપઘાત કરતાં પહેલા લખેલી એક ચીઠ્ઠી મળી આવી છે. જાેકે આપઘાત અંગેનું કારણ હજુ અકબંધ છે. મૃતકના પિતા કારેલીબાગ પોલીસમાં ફરજ બજાવે છે.
વડોદરા શહેર પોલીસ તંત્રના એમ.ટી. સેકશનમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીનો ૨૩ વર્ષનો આઈ.ટી.આઈ. થયેલો પુત્ર ઘરે ચિઠ્ઠી મુકીને રહસ્યમય સંજાેગોમાં ગૂમ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડ હરકતમાં આવ્યુ છે. પોલીસે ઉંડેરા તળાવ પાસેથી યુવકની સાયકલ અને ચંપલ કબજે કર્યા છે હું ઉંડેરા તળાવ જાઉ છું તેમ ચિઠ્ઠીમાં લખ્યુ હોવાથી ફાયર બ્રિગેડે તળાવના પાણી ઉલેચવાના શરૂ કર્યા હતા પરંતુ મંગળવારે રાત સુધી ડેડબોડી મળી નથી.
પોલીસે સીસીટીવી ચેક કરતાં તળાવથી અઢીસો મીટર દૂર સવારે ૧૧ વાગ્યાના અરસામાં નિરજ સાયકલ લઈને જતો દેખાય છે પરંતુ રોડ ઉપરથી તે ક્ષણે ટ્રક પસાર થઈ જતાં નિરજ ઢંકાઈ ગયો હતો. ગૂમશુદા નિરજની પોલીસે શોધખોળ આરંભી છે. નિરજ માનસીક રીતે તણાવ હેઠળ હોવાનું તેના પરીવારજનોએ પોલીસ સમક્ષ જાહેર કર્યુ છે.
શહેર નજીક ઉંડેરા, ગાયત્રી સોસાયટીમાં રહેતાં લક્ષ્મીનારાયણભાઈ પવાર અત્રેના પ્રતાપ નગર લાલબાગ રોડ ખાતેના પોલીસ તંત્રના એમ.ટી. સેકશનમાં નોકરી કરે છે. તેમના ૨૩ વર્ષના પુત્ર નિરજે આઈ.ટી.આઈ. કર્યુ છે અને પછી એપ્રેન્ટીસનો પ્રોસીજર કર્યો હતો. થોડાક સમય પૂર્વે તેને એક કંપનીમાં નોકરી મળવાની હતી. પરંતુ કામ આગળ વધ્યુ નહતુ. નિરજ આજે સવારે ઘરેથી રહસ્યમય સંજાેગોમાં ગૂમ થયો હતો.
ઘરમાંથી એક ચિઠ્ઠી મળી હતી જેમાં લખ્યું હતું, હું ઉંડેરા તળાવમાં જાઉ છું,
આ દરમીયાનમાં ફાયર બ્રિગેડને બપોરે ૧ વાગે પબ્લીક કૉલ મળ્યો હતો. પોલીસ અને ફાયર બ્રીગેડ દોડતું થયુ હતુ. તળાવ પાસેથી નિરજની સાયકલ અને ચંપલ મળી આવ્યા હતા. લાશ્કરોએ તળાવના પાણી ઉલેચ્યા હતા. પરંતુ ડેડબોડી મળી નથી. શોધખોળ જારી છે.
Recent Comments