વાજબી ભાવના દુકાનદારો આવા વ્યવહારો માટે આનાકાની કરે તો નિયમોનુસારના પગલા લેવા સૂચના
વન નેશન ઓન રેશન કાર્ડ યોજના અંતર્ગત હાલ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદામાં સમાવિષ્ટ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના લાભાર્થીઓ આધાર આધારિત બાયોમેટ્રીક ઓટીપી પ્રમાણીકરણ બાદ ગુજરાત રાજયમાં કોઈપણ વાજબી ભાવની દુકાનેથી તેઓને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકે છે. અન્ય રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વસતા ગુજરાત રાજયના લાભાર્થીઓ પણ સ્થાનિક કક્ષાએ પાર્ટેબીલીટીના ઉપયોગથી જે તે રાજયના પ્રવર્તમાન કેટેગરી મુજબના વિતરણ પ્રમાણ અને ભાવથી તેઓને મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે.
તાલુકામાં કોઈપણ દુકાનદાર દ્વારા વન નેશન વન રેશન કાર્ડ યોજના મુજબ આંતર રાજય વ્યવહારો માટે અથવા રાજયની અંદર એક જિલ્લામાં બીજા જિલ્લામાં પોર્ટિબિલિટીથી વ્યવહાર કરવા માટે આવનાર એનએફએસએ લાભાર્થીઓને ટ્રાન્સેક્શન કરી આપવામાં આવશે. જો વાજબી ભાવના દુકાનદારો દ્વારા આવા વ્યવહાર માટે કોઈ આનાકાની કરવામાં આવે છે તે ધ્યાનમાં આવે તો તેની સામે નિયમોનુસારના પગલા લેવા પુરવઠા તંત્રને સૂચના આપવામાં આવી છે
Recent Comments