મેઘરાજાએ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતને ઘમરોળ્યું છે. જેના કારણે રાજ્યના વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે. કમરસમા પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયું હતું. રસ્તા પર પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી ગયા હતા. લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયું હતું. રાજ્યભરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાત પરના ડીપ ડિપ્રેશનને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા શહેરોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યભરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા સાત લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે લગભગ છ હજાર લોકોએ અન્ય સ્થળોએ આશ્રય લેવો પડ્યો છે.
ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) એ કહ્યું છે કે ગુજરાત પર હજુ પણ સિસ્ટમ સક્રીય છે. જેના કારણે આગામી બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ૈંસ્ડ્ઢ એ રાજ્યમાં ૨૯ ઓગસ્ટ સુધી રેડ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન ભારે ગતિએ પવન ફૂંકાશે અને મુશળધાર વરસાદ પડશે. ૈંસ્ડ્ઢએ જણાવ્યું છે કે ડીપ ડિપ્રેશન ધીમે ધીમે ગુજરાત ક્ષેત્રમાં પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે
અને ૨૯ ઓગસ્ટની સવાર સુધીમાં તે સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠા અને પાકિસ્તાન આસપાસના વિસ્તાર અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્રની આસપાસના વિસ્તારોમાં પહોંચશે. હવામાનની આ સ્થિતિને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા શહેરોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યભરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા સાત લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે લગભગ છ હજાર લોકોએ અન્ય સ્થળોએ આશ્રય લેવો પડ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મંગળવારે સતત ત્રીજા દિવસે ભારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે સામાન્ય જીવન ખોરવાઈ ગયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. તેમણે કહ્યું કે સતત વરસાદને કારણે ડેમ અને નદીઓના જળસ્તરમાં વધારાને જાેતા છ હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં સાત લોકોના મોત થયા હતા. તેમણે કહ્યું કે ગાંધીનગર, ખેડા અને વડોદરા જિલ્લામાં દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે આણંદ જિલ્લામાં વૃક્ષ પડવાને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે
અને વરસાદના પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પંચમહાલ, નવસારી, વલસાડ, વડોદરા, ભરૂચ, ખેડા, ગાંધીનગર, બોટાદ અને અરવલ્લી જિલ્લાઓમાં વહીવટીતંત્રોએ નદીઓ અને ડેમોમાં પાણીના સ્તરમાં વધારો અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ વચ્ચે સાવચેતીના પગલા તરીકે સેંકડો લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. તેમણે કહ્યું કે, જિલ્લા વહીવટીતંત્રે પંચમહાલમાં લગભગ બે હજાર લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે, જ્યારે આ આંકડો નવસારીમાં ૧,૨૦૦, વડોદરામાં ૧,૦૦૦ અને વલસાડમાં ૮૦૦ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (જીઈર્ંઝ્ર) દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ વાર્ષિક વરસાદના લગભગ ૧૦૦ ટકા વરસાદ થયો છે.
માહિતી અનુસાર રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સરેરાશ વાર્ષિક વરસાદના ૧૦૦ ટકાથી વધુ વરસાદ થયો છે. ભારતીય હવામાન વિભાગએ મંગળવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં જ્યારે બુધવાર અને ગુરુવારે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. તે જ સમયે ગુરુવાર એટલે કે ૨૯ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Recent Comments