અમરેલી

વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારોના મતદાન માટેની જાગૃત્તિ અને ઉત્સાહને પગલે જિલ્લામાં ખરાં અર્થમાં ‘અવસર લોકશાહીનો’ ચરિતાર્થ

અમરેલી, તા.૧ ડિસેમ્બર, ૨૦૨૨ (ગુરુવાર) વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાન જિલ્લામાં સવારથી જ મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ‘અવસર લોકશાહીનો’ ઉજવણીના ભાગરુપે અમરેલી જિલ્લામાં ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો તેમજ દિવ્યાંગ મતદારો દ્વારા ઉમંગ અને ઉત્સાહથી મતદાન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારોના મતદાન માટેની જાગૃત્તિ અને ઉત્સાહને પગલે જિલ્લામાં ખરાં અર્થમાં ‘અવસર લોકશાહીનો’ ચરિતાર્થ થતું હોવાની અનુભૂતિ થઈ રહી છે

Related Posts