ભાવનગર

વાઘ બકરી ફાઉન્ડેશનના સહયોગથી શિશુવિહાર દ્વારા શાળા આરોગ્ય તપાસ

ભાવનગર વાઘ બકરી ફાઉન્ડેશન (અમદાવાદ)નાં વિશેષ સહયોગ થી ભાવનગરની સામાજિક સંસ્થા શિશુવિહાર દ્વારા ભાવનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા શ્રી જલારામ પ્રાથમિક શાળા નં.૧૫  માં તા.૨૫ ઓગષ્ટ  નાં રોજ ૧૨૦ જરૂરિયાતમંદ વિધાર્થીઓની આંખ તપાસ, આરોગ્ય તપાસ તથા લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાત મુજબ દવા આપવામા આવેલ. આ શિબિરમાં ડૉક્ટર શ્રી અરવિંદભાઈ ત્રિવેદી , ટેકનીશ્યન શ્રી અંકિતાબહેન  ભટ્ટ અને શ્રી રેખાબહેન ભટ્ટએ સેવા આપેલ.. આ કાર્યક્રમનું સંકલન શ્રી હિનાબહેન ભટ્ટ તથા શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતુ.

Related Posts