ભાવનગર વાઘ બકરી ફાઉન્ડેશન (અમદાવાદ)નાં વિશેષ સહયોગ થી ભાવનગરની સામાજિક સંસ્થા શિશુવિહાર દવારા ભાવનગર શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા શ્રી રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા નં.20 માં તા. 17 નવેમ્બર નાં રોજ 120 જરૂરિયાતમંદ વિધાર્થીઓની આંખ તપાસ, આરોગ્ય તપાસ તથા લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાત મુજબ દવા તથા બાળ આરોગ્ય સૂત્ર પુસ્તિકા ભેટ આપવામા આવેલ. આ શિબિરમાં ડૉક્ટર અરવિંદભાઈ ત્રિવેદી , ટેકનીશ્યન શ્રી અંકિતાબહેન ભટ્ટ અને શ્રી રેખાબહેન ભટ્ટએ સેવા આપેલ. શાળાનાં આચાર્ય શ્રી નીલાબહેન ઠક્કરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતુ.
વાઘ બકરી ફાઉન્ડેશન (અમદાવાદ)નાં વિશેષ સહયોગથી શિશુવિહાર પ્રાથમિક શાળામાં આરોગ્ય શિબિર યોજાય

Recent Comments