વાપી જીઆઈજીસીમાં વેરો ન ભરનાર સામે કડક પગલા લેવામાં આવ્યા છે વાપી નોટિફાઇડ દ્વારા લાંબા સમયથી વેરો ન ભરતાં મિલકત ધારકોની યાદી તૈયાર કરી વારં-વારં નોટિસ આપવામાં આવી હતી. જેમાં ૮ જેટલા એકમોનો કુલ ૨.૨૫ કરોડથી વધુ ટેક્સ બાકી બોલી રહ્યો હતો. તંત્રએ સૌ પ્રથમ ડ્રેનેજ અને નળ જાેડાણ કાપી નાખ્યા હતાં. આમ છતાં ૮ એકમો દ્વારા બાકી ટેક્સ જમા કરવામાં આવ્યો ન હતો.
જેને લઇ નોટિફાઇ઼ વિભાગે જીઆઇડીસીની ડીજીવીસીએલનો સહયોગ લઇ લાંબા સમયથી ટેક્સ ન ભરતાં ૮ એકમોના પાવર કનેક્શન કટ કરવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહીથી ટેક્સ ન ભરતાં કરદાતાઓમાં ફફડાટ ફેલાયો હતો. એકમો પૈકી કેટલાક એકમોના સંચાલકો ટેક્સ ભરવા નોટિફાઇડ કચેરીએ પહોંચ્યાં હોવાની માહિતી મળી રહી છે.નોટિફાઇડ એરિયામાં અનેક મિલકત ધારકોનો વર્ષો સુધીનો ટેક્સ બાકી છે.
જેને લઇને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી છે. ચીફ ઓફિસર દેવેન્દ્ર સગરના માર્ગદર્શન હેઠળ વેરા વસુલાત ઝૂંબેશ અંતરગત ટેક્સ ન ભરતાં કરદાતાઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. પહેલા નોટિફાઇડના ચોપડે ૧૦૦ કરોડથી વધુ ટેક્સની રકમ બાકી રહેતી હતી. પરંતુ હવે નોટિફાઇડના ચોપડે ૩૦ કરોડના ટેક્સની વસુલાત બાકી બોલી રહી છે.૭૦૦ જેટલા કરદાતાઓ ટેક્સ ન ભરતાં ૩૦ કરોડનો ટેક્સ વસુલવાનો બાકી છે.
Recent Comments