અમરેલી

વાવાઝોડા ગ્રસ્ત જાફરાબાદ શહેર – તાલુકાના વિસ્તારોમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે સહાય કીટ વિતરણ

પ્રદેશ – જીલ્લા સંગઠન પદાધિકારીઓ – આગેવાનો ઉપસ્થિત રહયા વાવાઝોડાએ અનેક મુશ્કેલી સર્જી છે તેમાં સધીયારો આપવા લોકસેવામાં અગ્રેસર એવા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ – સાંસદ સી.આર.પાટીલ એ દરીયાઈ કાઠાના ક્ષતિગ્રસ્ત રાજુલા – જાફરાબાદ શહેર – તાલુકાનો પ્રવાસ ખેડેલ હતો જેમાં શહેરના માચ્છીમાર વિસ્તારમાં ફરીને સમસ્યા અને સુવિધાઓની માહિતી મેળવી હતી બાદમાં તાલુકાના બલાણા , દેવપરા , દાતરડી , કડીયાળી વિગેરે ગામે પાટીલએ ઘરવખરી ગુમાવનાર પરિવારોને નળીયા , તાલપત્રી , રસોડાના વાસણો અને પ્રાથમીક આરોગ્ય કીટ જેવી આવશ્યક વસ્તુઓનું વિતરણ કર્યુ હતું તેમજ પીડીત પરીવારોને સાંત્વના પાઠવી હતી . પાટીલના પ્રવાસમાં પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા , ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા , મહેન્દ્રભાઈ સરવૈયા , મંત્રી મહેશભાઈ કસવાળા , રધુભાઈ હુંબલ , પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ , જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા , સાંસદ નારણભાઈ કાછડીયા , સંગઠન પ્રભારી સુરેશભાઈ ગોધાણી , ધારાસભ્ય જે.વી.કાકડીયા , મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા , પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી , જીલ્લા ભાજપ અગ્રણી જલ્પેશભાઈ મોવલીયા , પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષ સંઘાણી , પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ડો.ભરતભાઈ કાનાબાર , જાફરાબાદ તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ ત્રિવેદી , જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓ કાળુભાઈ ફીડોળીયા , દેવજીભાઈ પડસાળા , કરશનભાઈ ભીલ , ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ પટેલ , દિવ્યેશ વેકરીયા , જાદવભાઈ સોલંકી , મનુભાઈ વાજા , ભીમભાઈ વરૂ , નાજભાઈ બાંભણીયા , યોગેશભાઈ બારૈયા , જીવણભાઈ બારૈયા , છગનભાઈ પડસાળા , સાગરભાઈ સરવૈયા , કૂલદીપભાઈ વરૂ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયેલ છે

Follow Me:

Related Posts