ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકામાં ઉખરલા અને પાલિતાણા તાલુકામાં નોંઘણવદર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું ગ્રામજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ વેળાએ સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગે ફિલ્મ નીહાળી ગ્રામજનોએ વિકસિત ભારતનાં નિર્માણમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા શપથ લીધા હતા. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીશ્રી, સંબંધિત વિભાગીય અધિકારી, કર્મચારીઓ, આંગણવાડી બહેનો, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાભાવનગરનાં તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયા

Recent Comments