રાષ્ટ્રીય

વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા વર્ગોને મદદ મળશે : નિતિશકુમાર


કેન્દ્રના ર્નિણય પછી બિહાર ભાજપના ઘણાય નેતાઓએ આ પગલાંનો બચાવ કર્યો અને જાતિગત જનગણનાની જરુરિયાત અંગે સવાલ ઉઠાવ્યો. ભાજપે તે સ્પષ્ટ કરી દીધું હતું કે રાજકીય રીતે તેનું વલણ બીજા રાજકીય પક્ષોથી જૂદુ હોઈ શકે છે. ભાજપે જણાવ્યું હતું કે તે સબ કા સાથ અને સબ કા વિશ્વાસનું વલણ ધરાવે છે.બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે જાતિગત વસ્તી ગણતરીની પોતાની માંગ પર પુનરોચ્ચાર કરતા રવિવારે જણાવ્યું હતું કે આ બાબત રાષ્ટ્રીય હિતમાં છે અને તેનાથી વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા વર્ગોને મદદ મળશે.ર્‌ હાઇકોર્ટમાં કેન્દ્ર તરફથીર દાખલ કરવામાં આવેલા સોગંદનામા અંગે નીતિશકુમારે જણાવ્યું હતું કે આ યોગ્ય બાબત નથી. તેની સાથે એમ પણ જણાવ્યું હતું કે આ મામલો સ્પષ્ટપણે જાતિગત ગણતરી સાથે સંબંધિત ન હતો.

કેન્દ્રએ તેના સોગંદનામામાં જાતિગત ગણતરી આધારિત વસ્તી ગણતરીની વાત ફગાવી દીધી હતી. કેન્દ્રીય પ્રધાન અમિત શાહના નક્સલવાદથી અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યપ્રધાનો સાથેની બેઠકમાં દિલ્હી આવેલા જનતાદળ (યુ)ના નેતાએ જાતિગત જનગણના સામેના બધા તર્કોને ફગાવી દેતા જણાવ્યું હતું કે આ માંગ ફક્ત બિહારથી જ નહી પરંતુ કેટલાય રાજ્યોમાંથી આવી રહી છે. નીતિશે જણાવ્યું હતું કે તે આ મુદ્દે બિહારમાં જુદા-જુદા રાજકીય પક્ષોના સભ્યો સાથે વાત કરશે. કેન્દ્રએ ગુરુવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે પછાત વર્ગોની જાતિગત મતગણતરીનું કામ વહીવટી રીતે એકદમ મુશ્કેલ અને અઘરુ પગલું છે. તેથી આ પ્રકારની જાણકારી જનગણના નીતિની બહાર રાખવી તે એક યોગ્ય નીતિ હેઠળ લેવાયેલો ર્નિણય છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં સરકારે જણાવ્યું હતું કે સામાજિક અને આર્થિક સંદર્ભમાં ૨૦૧૧માં કરવામાં આવેલી વસ્તી ગણતરી અશુદ્ધિઓથી ભરેલી હતી.

Related Posts