સાવરકુંડલા ખાદી કાર્યાલય કેમ્પસ ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલ માં થોડા સમયમાં દર્દી નારાયણ ની સેવામાં ઘણા નવા વિભાગ તથા નવી ટેકનોલોજીના સાધનો ઉમેરાયા છે. આથી વીજળીના વધારે બેકઅપ ની જરૂરિયાત ઉભી થતા વધારે કેપેસિટી સાથેના જનરેટર ની જરૂરિયાત પડતા જનરેટર ના કોટેશન સાથે ની જાણકારી આરોગ્ય મંદિર ના ટ્રસ્ટીઓ દ્વારા દાતાઓને આપવામાં આવી હતી. તેમાંથી મુંબઈ નિવાસી શશીકાંતભાઈ બદાણી દ્વારા આરોગ્ય મંદિર ઉપર જાણે ઉદારતા ની વર્ષા કરતા હોય તે રીતે તેના ઘરે બોલાવી નિઃશુલ્ક આરોગ્ય મંદિર ને જનરેટર માટે 18,50,000 અઢાર લાખ પચાસ હજાર રૂપિયાના ચેક અર્પણ કરેલ. સાવરકુંડલા નિઃશુલ્ક આરોગ્ય મંદિર ખાતે મેડિકલ સેવા અને ઓપરેશન થિયેટર તથા વિવિધ સાધનો માટે વીજળી લાઈટ ન હોય ત્યારે ખૂબ જ મુશ્કેલી પડતી, જે માટે બદાણી પરિવાર દ્વારા જનરેટર અર્પણ કરવામાં આવ્યું હતું.
વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત આરોગ્ય મંદિર હોસ્પિટલ- સાવરકુંડલા માં બદાણી પરિવાર દ્વારા અઢાર લાખનું જનરેટર અર્પણ કરવામાં આવ્યું

Recent Comments