ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર હોય ભારતના ચૂંટણીપંચ તરફથી આદર્શ આચારસંહિતા જાહેર કરવામાં આવી છે. આદર્શ આચારસંહિતાનું કડકપણે પાલન કરવાનું હોય જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો તથા તેમના કાર્યકરો ચૂંટણી કામ માટે સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ અને વિશ્રામગૃહોનો ઉપયોગ કરી શકશે નહિ. આ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. આથી સમગ્ર જિલ્લામાં સમાવિષ્ટ સરકારી, અર્ધસરકારી, સહકારી તમામ આરામગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો તથા જાહેરસ્થળો હોય તેવા તમામ ગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષોના હોદ્દેદારો-કાર્યકરો ચૂંટણી લડતા ઉમેદવારો કે તેમના એજન્ટોએ રાજકીય હેતુસર અથવા ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવો પ્રતિબંધિત છે. રાજકીય પ્રવૃત્તિમાં રાજકીય ચર્ચા, ટેલિફોન પર વાર્તાલાપ તથા મુલાકાતી સહિતની બાબતોનો સમાવેશ થશે. ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ જાહેરનામાનો અમલ કરવાનો રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક પગલા લેવામાં આવશે ઉપરાંત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ અન્વયે શિક્ષા કરવામાં આવશે.
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨, રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો તથા તેમના કાર્યકરો ચૂંટણી કામ માટે સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ અને વિશ્રામગૃહોનો ઉપયોગ કરી શકશે નહિ


















Recent Comments