અમરેલી

વિરોધપક્ષના ઉપનેતા સેજલબેન પ્રહલાદભાઈ સોલંકી એ પ્રેસ મીડિયા ને નિવેદન આપ્યું

અમરેલી નગરપાલિકાનું સામ્રાજ્ય ભ્રષ્ટ્ર બન્યું છે તે અંગે એક પ્રેસ નિવેદન જાહેર કરી નગરપાલિકા વિરોધ પક્ષ ઉપનેતા શ્રીમતિ સેંજલબેન પ્રહલાદભાઇ સોલંકી એ એક પ્રેસમિડીયામાં જણાવ્યું હતું કે, સોશીયલ મીડીયા મારફતે ભાજપનાં જણાવ્યા મુજબ આંગળી ઉંચી કરવાનાં ૧૫૦૦૦/- અને ખેડુતોને અન્યાય તે પ્રેસ સંદર્ભે જણાવવાનું કે, ભાજપનાં અગ્રણીનું અમરેલીની જનતાને જાણવા જોગ સારૂ સ્ટેટમેન્ટ છે, ભ્રષ્ટ્રાચાર ખુબ વધ્યો છે જે અમો કોંગ્રેસના આગેવાનો જ નહી પરંતુ ભાજપે ખુદ સ્વીકાર્યું છે સારી બાબત છે. ભ્રષ્ટ્રાચારમાં ભાજપ ખુપી ગયું છે નગરપાલિકાના તમામ નિયમો નેવે મુકી દીધા છે. લોક સુખાકારી એક બાજુ છે જાહેરમાં ગંદકી, આડેધડ પાર્કિંગ, ગાયોના ટોળા રોડ ઉપર દિવાળીના દિવસોમાં લોકો ચાલવામાં પણ સલામત નથી, દિવાળી જેવો પર્વ મનાવવા માટે લોકો ડરી રહ્યા છે. ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું છે તેનાં કારણે આરોગ્યક્ષેત્ર ઉપર માઠી અસર થઈ રહી છે, આઉટસોર્સિંગ કોન્ટ્રાકટ બેજ ઉપર અસંખ્ય લાગતા-વળગતા કાર્યકર્તાઓને ઘરે બેઠા પગાર અપાઇ છે, દિવાળી જેવો પર્વ હોય બહેન-દિકરીઓ બજારમાં નીકળતા ડરે છે, સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે આંધકારમય અમરેલી બન્યું છે, ગૃહ ખાતાનાં પ્રધાન ૪ વાગ્યા સુધી રાસ લેવાની વાતો કરતા હતા ત્યારે દિવાળી પર્વ કેવી રીતે ઉજવવું તે સવાલ પેદા થયો છે. ૧૫૦૦૦/- આંગળી ઉંચી કરવાની જગ્યાએ બિનસત્તાવાર મળતી માહિતી અનુસાર અમુક આંગળી ૨૫૦૦૦/- ઉપર ઉભી થઈ છે અને આટલો ખર્ચ કર્યા બાદ બોર્ડ રદ કરવામાં આવ્યું છે ત્યારે વિકાસશીલની વાતો કરતા ધારાસભ્ય, આગેવાનો આ બાબતમાં અમરેલીની જનતાને શું કહેવા માંગે છે? તેવો વૈધક સવાલ નગરપાલિકા વિરોધપક્ષનાં ઉપનેતા શ્રીમતિ સેંજલબેન પ્રહલાદભાઇ સોલંકી એ કરી અમરેલી શહેરની પ્રજાને આ બાબતમાં શું કહેશો તેનો ખુલાસો

Related Posts