તા.૨૯ સપ્ટેમ્બર એટલે કે વિશ્વ હૃદય દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.આ યોગ શિબિરનો ઉદ્દેશ્ય હૃદય રોગને સંબંધે લોકોમાં જાગૃત્તિ, ઉપાયો અને યોગ થકીતેને અટકાવવા માટેનો છે. લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનારી પેઢીમાં યોગ અંગે જાગૃત્તિ કેળવાય અને લોકો યોગ કરતા થાય તે માટે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગદોડભર્યાં જીવનમાં ખાસ કરીને હૃદય સંબંધી રોગો અટકાવવા માટે યોગ એ ખૂબ કારગર નીવડે છે.ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.૨૯-૯-૨૦૨૪ના રોજ સવારના ૬ થી ૮ કલાક દરમિયાન અમરેલીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ યોગ શિબિર યોજાશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તા.૨૧મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વિશ્વ હૃદય દિવસ નિમિત્તે અમરેલી ખાતે યોગ શિબિરનું આયોજન

Recent Comments