અમરેલી તાલુકાના વેણીવદર ગામના ખેડૂતોની જમીન વર્ષો પહેલા વડી સિંચાઈ યોજના અંતર્ગત સંપાદિત થઈ હતી. જેના વળતરનો પ્રશ્ન વર્ષો થયા અધ્ધરતાલ હતો. આ યોજનામાં ખેડૂતોની સંપાદિત થયેલી જમીનનું યોગ્ય વળતર ન મળવાના કારણે ખેડૂતો પરેશાન હતા. વળતરના આ વર્ષો જૂના જટિલ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે ખેડૂતો દ્વારા અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ખૂબ જ ગંભીરતાથી હાથમાં લઈ જાગૃત અને કર્મશીલ ધારાસભ્યએ સરકારશ્રીમાં સબળ રજૂઆત કરતા હવે ખેડૂતોને વળતર પેટે રૂપિયા
5 કરોડ 66 લાખ જેવી રકમ મળશે. વળતરની આ રકમ સરકારના નાણાંવિભાગે મંજૂરી આપી સિંચાઇ વિભાગને ફાળવી દેતાં ટૂંક સમયમાં જ આ રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે. સ્થાનિક ધારાસભ્યની સફળ રજૂઆતના પગલે ખેડૂતોને વળતરની આ રકમ ફાળવી આપવા મંજૂરી મળી જવાથી ખેડૂતોના
ચહેરા ઉપર કાળા ઉનાળે ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
વેણીવદર ખેડૂતોના વળતરનો વર્ષો જૂનો જટિલ પ્રશ્નઉકેલતા અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા

Recent Comments