સૌરાષ્ટ - કચ્છ

વેરાવળ-ગડુ નેશનલ હાઈવે પર ટ્રકે બસને ટક્કર મારતા ૧૦ના મોત

સોમનાથ-જેતપુર નેશનલ હાઈવેના કામમાં ઓથોરીટીને બેદરકારીના કારણે વારંવાર જીવલેણ અકસ્માતો થઈ રહ્યા હોવ છતાં જવાબદારો અકસ્માતો થતા રોકવા કોઈપણ કાર્યવાહી કરી રહ્યા નથી. ખાસ તો આ હાઈવે બન્યો ત્યારથી લઈ સાત વર્ષમાં વેરાવળ નજીક ગડુ ગામ પહેલા આવેલ મેઘલ નદી ઉપર એક તરફનો પુલ ન બનાવી ડાયવર્ઝન કાઢી ગાડુ ગબડાવવામાં આવી રહેલ છે. ચાલકોને મતે આ ડાયવર્ઝન એટલું ભયંકર છે કે નવો ડ્રાઈવર થાબ ખાઈ જાય અને સામે આવતા વાહન સાથે ટકરાઈ જતા અકસ્માત સર્જાય છે. તો આ ડાઈવર્ઝન દર્શાવતું દિશાસુચક બોર્ડ પણ ચાલકોનાં ધ્યાને આવે તે રીતે લગાડ્યું નથી. જેના લીધે ઘણીવાર ચાલકો પણ મુશ્કેલી અનુભવે છે. તો જાેખમી ડાયવર્ઝનના કારણે અત્યાર સુધીમાં અનેક અકસ્માતો સર્જાયા છે જેમાં દસથી વધુ લોકોએ જીવન ગુમાવ્યુ છે. જેને ધ્યાને લઇ મેઘલ નદી ઉપરનો પુલ હાઈવે ઓથોરીટી વ્હેલીતકે બનાવી દુર કરે તેવી ચાલકો માંગણી કરી રહ્યાં છે.વેરાવળથી ગડુ તરફ જતા નેશનલ હાઈવે પર મેઘલ નદીના પુલ ઉપરના ડાયવર્ઝન પાસે મીઠા ભરેલ ટ્રકે સામેથી આવી રહેલ એસટી બસને જાેરદાર ટક્કર મારી અઢીસો મીટર દુર ડિવાઈડરમાં ચડી જઈ વૃક્ષ સાથે અથડાયો હતો.

જેના પગલે ટ્રકમાં આગ ભભુકી ઉઠેલ તો એસટીને જાેરદાર ટક્કર મારી હોવાથી બસનો ડ્રાઈવર સાઈડના ભાગનો બુકડો બોલી જતા એસટીના ચાલક સહિત આઠેક મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોચતા ત્રણ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત નજીકની ચોરવાડ હોસ્પીટલે ખસેડાયા હતા. આ અકસ્માત થવા પાછળ નેશનલ હાઈવે ઓથોરીટીની ગંભીર બેદરકારી હોવાની ચર્ચા વાહનચાલકોમાં થઈ રહી હતી. આ ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત વિગતોનુસાર સોમનાથ કલોલ એસટી બસ વેરાવળથી જુનાગઢ તરફ જઈ રહી હતી. તે સમયે ગડુ ગામ પહેલા નેશનલ હાઈવે પર આવેલ મેઘલ નદીનાં પુલ ઉપર ડાયવર્ઝન પાસે બસ પહોંચેલ તે સમયે સામેથી મીઠું ભરી પુરપાટ આવતા ટ્રકે ડાયવર્ઝનનાં રસ્તામાં જવાના બદલે રોંગ સાઈડ તરફ જઈ એસટી બસને જાેરદાર ટક્કર મારતા એસટીમાં ડ્રાઈવર સાઈડનાં ભાગનો બુકડો બોલી ગયો હતો. તો ટક્કર માર્યા બાદ બેકાબુ બનેલ ટ્રક આગળ અઢીસો મીટર દુર ડિવાઈડર ઉપર ચડી જઈ વૃક્ષ સાથે અથડાયો હતો. જેના પગલે ટ્રકમાં આગ લાગી હતી.

આ અકસ્માતના પગલે થોડા સમય માટે હાઈવે ઉપર ટ્રાફીક જામ સર્જાયો હતો. જેને પગલે પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી ટ્રાફીક દુર કરાવ્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત બનેલ એસટી બસમાં સવાર ડ્રાઈવર સહિત ૮ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોચી હતી. જેમાં રાજેશભાઈ વાઘેલા (ઉ.વ.૩૮), નિધિબેન ધીરજલાલ શર્મા (ઉ.વ.૨૦), સ્વીટી ધીરજલાલ શર્મા (ઉ.વ.૧૯), રમાબેન મણીલાલ દવે (ઉ.વ.૭૧), ધીરજલાલ શર્મા (ઉ.વ.૫૦), કેતનભાઈ ગોહેલ (ઉ.વ.૨૭), નિખીલ હરિયાણી (ઉ.વ.૨૩) ને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતની જાણ થતા સ્થળ પર દોડી આવેલ વેરાવળ, ગડુ અને માળીયાની ત્રણ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત તમામ ઇજાગ્રસ્તોને પ્રથમ ચોરવાડ અને ત્યાંથી વેરાવળ સિવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

Related Posts