વેરાવળ જલ્યાણ ગ્રુપ દ્વારા લોહાણા મહાજન વંડી માં રાંદલ માતાના ૧૦૮ લોટાના કાર્યક્રમ ભકિતભાવ પુર્વક ઉજવાયો હતો તેમાં ૧૭૦૦ થી વધારે ગોરણી સહીત ૨૫૦૦ જેટલા ભકતોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો. લોહાણા સમાજ પ્રમુખ તથા ચેરમેન જલ્યાણ ગ્રુપ ના દીપક કકકડે જણાવેલ હતું કે સમસ્ત જ્ઞાતિ સમાજ ના હીતાર્થે રાંદલ માતાજીના ૧૦૮ લોટાનું આયોજન કરાયેલ હતું યજમાનોદ્વારા પુજા વિધી બાદ સવારે ૧૧ થી ૩ ભોજન પ્રસાદી માં ૧૭૦૦ ગોરણી સહીત ૨૫૦૦ ભકતોએ લાભ લીધો હતો સાંજે ૫.૩૦ થી રાત્રે ૧૧ વાગ્યા સધી મહાઆરતી, ગરબા, રાસ રમાયેલ હતો મેલડી માતાજી ના
ગ્રુપ તરફથી ગરબાનું ભવ્ય આયોજન થયેલ હતું તેમજ માતાજી પાસે પરંપરાગત ડાકલા રાસ રમાયેલ હતા હજારો શહેરીજનો એ માતાજીના દર્શનનો લાભ લીધો હતો આ કાર્યને સંપન્ન બનાવવા માટે હોદેદરો કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી.
વેરાવળ લોહાણા મહાજન વંડી માં રાંદલ માતાના ૧૦૮ લોટાના કાર્યક્રમ ભકિતપુર્વક ઉજવાયો

Recent Comments