જળક્રાંતિ ટ્રસ્ટ ના મનસુખભાઈ સુવાગિયા આચરણધર્મ કર્મસંગાથી મિત્રો. આચરણ વગરનો કોઈ ધર્મ – ધર્મ નથી, જ્ઞાન – જ્ઞાન નથી, અને પ્રેમ – પ્રેમ નથી. આપણે સૌએ આ વર્ષે વૈદિક હોળીનો અમલ આપણા ગામમાં, એ ન થઈ શકે તો આપણા પાડોશમાં કે આપણા આંગણે કરવાનો જ છે. બે પાંચ કિલો છાણા અને ૫૦ થી ૧૦૦ ગ્રામ ગાયનું ઘી, જવ, તલ, પીળા સરસવ, લીમડાના સૂકા પાન, તુલસી,આકડો, અઘેડો અને ભોરિંગણીના સુકા છોડથી નાની-નાની હોળી પ્રગટાવીએ. વૈદિક હોળીથી આરોગ્ય પ્રાપ્તિ, ગોરક્ષા અને સંસ્કૃતિનું ઉત્થાન કરીએ. તમારા પ્રયાસથી તમારા વિસ્તારમાં ૧૦થી ૧૦૦ વૈદિક હોળી યજ્ઞ ઉજવાશે એ અમારી અપેક્ષા અને શ્રદ્ધા છે. એ જ આપની અમારા પ્રત્યેની લાગણી અને નિષ્ઠા છે, ગોનિષ્ઠા, સંસ્કૃતિ નિષ્ઠા અને રાષ્ટ્રનિષ્ઠા છે.૧૦૦૦૦ વૈદિક હોળીયજ્ઞ ઉજવીને સંસ્કૃતિ ઉત્થાનનો પ્રારંભ કરીએ.તેમ મનસુખભાઈ સુવાગીયા.એ જણાવ્યું હતું
વૈદિક હોળી ને આચરણ ધર્મ બનાવીએ ગૌનિષ્ઠા સંસ્કૃતિનિષ્ઠા રાષ્ટ્રનિષ્ઠા મનસુખભાઇ સુવાગિયા


















Recent Comments