રાષ્ટ્રીય

વૈભવ જ્વેલર્સનો ઇનિશિઅલ પબ્લિક ઑફર માટે ખુલશે, ૨૨ સપ્ટેમ્બર ખુલશે અને ૨૬ સુધી બિડ કરી શકાશે

દક્ષિણ ભારતની અગ્રણી પ્રાદેશિક જ્વેલરી બ્રાન્ડ વૈભવ જ્વેલર્સ ૮ નગરો અને ૨ શહેરોમાં ૧૩ શોરૂમ સાથે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના માઇક્રો બજારોમાં ઉપસ્થિતિ ધરાવે છે અને તેમનો એકંદરે આંધ્રપ્રદેશ અને તેલંગણાના જ્વેલરી બજારમાં બજાર હિસ્સો ૪ ટકા છે જે આ બે રાજ્યોમાં અને નાણાકીય વર્ષ ૨૦૨૩માં સંગઠિત બજારના ૧૦ ટકાનો બજાર હિસ્સો નોંધાવ્યો છે, તેમના ઇનિશિઅલ પબ્લિક ઑફર (ૈંર્ઁં) માટે ઇક્વિટી શેર દીઠ ઇજ ૨૦૪થી ઇજ ૨૧૫ના ભાવે પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. કંપનીનો ઇનિશિઅલ પબ્લિક ઑફર (“ૈંર્ઁં” અથવા “ઑફર”) શુક્રવાર, ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને મંગળવાર, ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા ૬૯ ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે

અને ત્યારબાદ ૬૯ ઇક્વિટી શેરના ગુણાંકમાં આગળ બીડ કરી શકશે. પ્રત્યેક ઇજ ૧૦ના ફેસ વેલ્યુના ઇક્વિટી શેર માટેના પબ્લિક ઇશ્યુમાં રૂ. ૨૧૦ કરોડ સુધીના ઇક્વિટી શેરના નવા ઇશ્યુ અને ૨.૮ મિલિયન ઇક્વિટી શેરની ઑફર ફોર સેલ (ર્ંહ્લજી)નો સમાવેશ થાય છે. આ જ્વેલરી બ્રાન્ડ આંધ્રપ્રદેશના સંગઠિત જ્વેલરી રિટેઇલ માર્કેટમાં પ્રારંભિક તબક્કામાં પ્રવેશનારાઓ પૈકી એક છે અને તે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના માઇક્રો બજારોમાં ઉચ્ચ-વૃદ્ધિની સંભાવના વાળા અત્યાર સુધીમાં ઉજાગર ન થયેલા પ્રદેશોમાં પ્રાદેશિક વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે

અને આ પ્રકારે કામગીરીના ક્ષેત્રમાં બ્રાન્ડેડ જ્વેલરી માટે બજાર ઊભું કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ૨૦૦૭માં, તેમણે વિશાખાપટ્ટનમમાં પોતાનો મુખ્ય શોરૂમ શરૂ કર્યો હતો, જે ૨૯,૯૪૬ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને શોપિંગ અનુભવ આપવા માટે ચાર અલગ-અલગ માળમાં ફેલાયેલો છે. તેના ૭૭ ટકા રિટેઇલ શોરૂમ ટિઅર ૨ અને ટિઅર ૩ શહેરોમાં છે અને બાકીના હૈદરાબાદ તેમજ વિશાખાપટ્ટનમમાં આવેલા છે જે શહેરી ગ્રાહકોને સેવા પૂરી પાડે છે. તેના દરેક શોરૂમ હાઉસમાં સોના, ડાયમંડ, જેમ્સ, પ્લેટિનમ અને ચાંદીના દાગીના અથવા કલાકૃતિઓના ઉત્પાદનોની વિશાળ શ્રેણીમાં વિવિધ ઉત્કૃષ્ટ અને વિશાળ ડિઝાઇનનો સંગ્રહ ઉપલબ્ધ છે. તેની પેટા-બ્રાન્ડ વિશેષા સોના અને હીરાના આભૂષણોના પ્રીમિયમ સેગમેન્ટમાં સેવા પૂરી પાડે છે.

૩૦ જૂન, ૨૦૨૩ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે, કામગીરીમાંથી રૂ. ૫૦૮.૯૦ કરોડની આવક થઇ હતી અને ચોખ્ખો નફો રૂ. ૧૯.૨૪ કરોડ થયો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૩માં તેમની કામગીરીમાંથી રૂ. ૨૦૨૭.૩૪ કરોડની આવક થઇ હતી, જે મુખ્યત્વે સોનાના દાગીનાના વેચાણમાંથી આવી હતી. વર્ષ ૨૦૦૫માં ૫૦.૯ કરોડ રૂપિયાની આવક થઇ હતી. આ જ્વેલરી બ્રાન્ડ્‌સની રિટેઇલ શોરૂમ દીઠ સરેરાશ આવક અને નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે ઈમ્ૈં્‌ડ્ઢછ મેટ્રિક્સ અનુક્રમે રૂ. ૧૫૫.૯૫ કરોડ અને રૂ. ૧૧.૦૦ કરોડ રહ્યા હતા. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૩ ની વચ્ચે આવક અને ઁછ્‌ (ટેક્સ પછીનો નફો) ૧૮.૯૨ ટકા અને ૮૫.૮૧ ટકાનો ઝ્રછય્ઇ પર વધ્યા છે. તેનું ઇ-કોમર્સ વેચાણ નાણાકીય વર્ષ ૨૦૨૯માં રૂ. ૪.૧૬ કરોડ હતું તે નાણાકીય વર્ષ ૨૦૨૩માં રૂ. ૩૬.૪૦ કરોડ થયું છે. બજાજ કેપિટલ લિમિટેડ અને ઇલારા કેપિટલ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ બુક-રનિંગ લીડ મેનેજર છે અને બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ ઑફર માટે રજિસ્ટ્રાર છે. આ ઇક્વિટી શેરનું મ્જીઈ અને દ્ગજીઈ પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે.

Related Posts