અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને અમરેલી નગરપાલિકા દ્વારા અમરેલી શહેરના જેસીંગપરા વિસ્તારની પટેલ વાડી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. તા.૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ને બુધવારના રોજ યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં શહેરના વોર્ડ નં. ૬, ૮, ૯, ૧૦ અને ૧૧ના લોકો રાજ્ય સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ મેળવી શકશે. સેવા સેતુ કાર્યક્રમમાં સવારના ૯ થી ૨ કલાક દરમિયાન નાગરિકોની અરજીઓ સ્વીકારવામાં આવશે, ત્યારબાદ અરજીઓના નિરાકરણ માટે કામગીરી કરવામાં આવશે. નાગરિકોએ અરજીની સાથે આવશ્યક સાધનિક કાગળો જોડવા.આ કાર્યક્રમમાં આવક-જાતિના દાખલા, રેશનકાર્ડ સંબંધિત કામગીરી, આધારકાર્ડ, જન્મ મરણના પ્રમાણપત્ર, ગંગા સ્વરુપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ – વય વંદના, પીએમ સ્વ નિધિ યોજના, વગેરે યોજના ઉપરાંત નવી વારસાઈ અરજીઓ સહિતની સેવાઓનો લોકો લાભ મેળવી શકશે. હેલ્થ ચેકઅપનું પણ આયોજન છે.
વોર્ડ નં. ૬, ૮, ૯, ૧૦ અને ૧૧ના નગરજનો રાજ્ય સરકારની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ મેળવી શકશે

Recent Comments