શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે તા. ૦૧/૧૦/૨૦૨૨ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે અતિ આધુનિક ૫૪૦સીટનો ઓડીટોરીયમ હોલનું કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબના વરદ હસ્તે આ ઓડીટોરીયમનું લોકાર્પણ કરવામાં આવ્યું. અને આ સાથે માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ના જન્મદિવસ ની ઉજવણી પણ કરવામાં આવી. આ લોકાર્પણમાં અમરેલીના સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ કૃષિ મંત્રીશ્રી વી.વી વઘાસીયા,જલ્લા પંચાયત પ્રમુખશ્રી રેખાબેન મોવલીયા , શ્રી અશ્વિનભાઈ સાવલિયા,બાંઘકામ સમિતિના ચેરમેનશ્રી પુનાભાઈ ગજેરા,બાલુભાઇ સોજીત્રા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીજીતુભાઈ ડેર,ડો.ભરતભાઈ કાનાબાર,બીપીનભાઈ જોષી,એમ.કે.સાવલિયા ,મનસુખભાઈ ઘાનાણી,રામાણી સાહેબ ,ચતુરભાઈ ખુંટ,ડો.વિકાસ સિન્હા(ડીન).ડો.આર.એમ જીતિયા(સુપ્રિટેન્ડેન્ટ),ડો.હરેશ વાળા(સિવિલ સર્જન),ડો.શોભનાબેન મહેતા,ડો.સતાણી,સામાજીક આગેવાનો,તમામ ડોક્ટરો,સ્ટાફ, વગેરે , શાંતાબા મેડીકલ કોલેજના ચેરમેનશ્રી વસંતભાઈ ગજેરા, તથા આંમત્રિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સતત પ્રગતિના સોપાનો સર કરતી આ શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલીમાં અમરેલી જીલ્લાની જાહેર જનતા માટે અનેક સુવિધાઓથી સજ્જ થઇ રહી છે.અનેક દર્દીઓ આ શાંતાબા જનરલ હોસ્પિટલનો લાભ લઇ રહ્યા છે. આગામી સમયમાં શાંતાબા જનરલ હોસ્પિટલમાં આવી અનેક સુખાકારી સુવિધાનો સંકલ્પ સિધ્ધ કરવાનો પ્રયાસ ચેરમેનશ્રી વસંતભાઈ ગજેરા દ્વારા થઇ રહ્યો છે. ગજેરા ટ્રસ્ટના પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરાએ આ ઓડીટોરીયમના લોકાર્પણના પ્રસંગે હ્રદયથી શુભકામના પાઠવી છે.
Recent Comments