અમરેલી

શાંતિધામ સેવા સંસ્થાન – લાઠી સ્મશાન ગૃહની અનેરી ઉમદા સેવા,કૈલાસ મુક્તિધામ અમરેલી ને એક ટ્રક લાકડા પહોંચાડ્યા

કોરોના મહામારી ના કારણે કૈલાસ મુક્તિધામ સ્મશાન ગૃહ  – અમરેલીમાં સમિતિના યુવાનો અવિરત સેવા બજાવી રહ્યા છે. હાલમાં સ્મશાનગૃહમાં લાકડા ની જરૂરિયાત ઉભી થતા સમિતિ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી દરેકને આ અંગે સેવા આપવા અપીલ કરેલ હતી.

કૈલાસ મુક્તિધામ સમિતિની અપીલને ધ્યાને લઇ આજરોજ તારીખ ૧૪ ૦૧ ૨૦૨૧ ના રોજ શાંતિધામ સેવા સંસ્થાન – લાઠી સ્મશાનગૃહ દ્વારા તુરત જ એક ટ્રક ભરી લાકડા કૈલાસ મુક્તિધામ માટે મોકલાવી અનેરી ઉમદા સેવા આપેલ છે.

અમરેલી જિલ્લાના અન્ય કોઈ તાલુકા કે ગામડાના સ્મશાન ગૃહમાં સગવડતા હોય કે અન્ય કોઈ સંસ્થા કે નાગરિક આ બાબતમાં મદદરૂપ થઈ શકે તેમ હોય તો કૈલાસ મુક્તિધામ સમિતિના મોબાઇલ

નંબર ૯૮૭૯૩૩૭૫૦૨ પર સંપર્ક કરવા વિનંતી છે.

Related Posts