ગુજરાત

શિક્ષકોએ નિમણુક પત્ર મેળવ્યાના સાત દિવસમાં હાજર થવાનું રહેશે. અર્ધસરકારી માધ્યમિક શાળાઓમાં ૬ ઓગસ્ટના રોજ થશે ૨૭૧૪ શિક્ષકોની નિમણુક

ગુજરાત સરકારે રાજ્યની અર્ધ સરકારી માધ્યમિક શાળાઓમાં ૨૭૧૪ શિક્ષકોને નિમણુક પત્ર આપવાનો ર્નિણય લીધો છે. શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આ પત્ર ૬ ઓગષ્ટના રોજ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સાતમી ઓગષ્ટના રોજ ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી વિજય રુપાણીના નેતૃત્વ હેઠળ પાંચ વર્ષ પૂરા કરશે.

સૂત્રોએ આગળ જણાવ્યું કે, શોર્ટલિસ્ટ કરવામાં આવેલા શિક્ષકોએ અલોટમેન્ટ લેટરની નકલ ડાઉનલોડ કરવાની રહેશે તેમજ ભલામણ પત્ર અને નિમણુક પત્ર મેળવવા માટે જિલ્લા મુખ્યાલય હાજર રહેવાનું રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જિલ્લા મુખ્યાલય પર ચોથી ઓગષ્ટથી સંચાલકો તરફથી નિમણુક પત્ર પર હસ્તાક્ષાર કરવામાં આવશે. નિમણુક પત્ર મેળવ્યા પછી શિક્ષકોએ સાત દિવસની અંદર કામ પર હાજર થવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે જાે ઉમેદવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હશે તો તેના સ્થાને અન્ય કોઈ વ્યક્તિ નિમણુક પત્ર લઈ શકે છે. આ માટે તે વ્યક્તિએ ઓથોરિટી લેટર અને યોગ્ય ઓળખ રજુ કરવાના રહેશે. નોંધનીય છે કે ૨૭૧૪ નિમણુકમાંથી ૨૦૫ પંચમહાલમાં, ૧૭૪ દાહોદમાં, ૧૬૯ મેહસાણામાં, ૧૬૫ સાબરકાંઠામાં, ૧૬૧ આણંદમાં, ૧૩૯ બનાસકાંઠામાં, ૧૩૭ અરવલ્લીમાં, ૧૨૪ મહીસાગરમાં, ૧૨૨ અમદાવાદ ગ્રામીણમાં અને ૫૩ અમદાવાદ શહેરમાં છે.

Related Posts