ભાવનગર શિક્ષણમાં શ્રમ યજ્ઞ નો અપાર મહિમા હતો પરંતુ સમજણના અભાવે બાળકોના ની હળવી મહેનતને મજૂરી તરીકે જોવામાં આવતા શાળાના આચાર્યશ્રી અને શિક્ષકો વિદ્યાર્થીઓ પાસે થોડી ઘણી હળવી મહેનત કરાવતા ડરે છે …શાળાનું આંગણું સાફ કરવું..બાથરૂમ સાફ કરવા.. વર્ગખંડની સ્વચ્છતા …*આ બધું જીવન શિક્ષણ છે* અને આ પ્રક્રિયામાંથી પસાર થતું બાળક જ્યારે ઘર સંભાળે છે ત્યારે પવિત્ર ઘર.. અને ધંધા રોજગાર કરે છે ત્યારે ગુડ હાઉસ કીપિંગ ના પાઠ શીખે છે. અકસ્માત રહિત કાર્ય પદ્ધતિ નો પ્રથમ પાઠ શાળા મા યોજાતા શ્રમ યજ્ઞમાં રહેલો છે .. મા બાપે પણ સમજવા જેવું છે ..અને જનતાની વાત રજૂ કરનાર નાગરિકોએ પણ સમજવું પડશે કે ગાંધી યુગથી શરૂ થયેલ શ્રમ યજ્ઞ એ એક પવિત્ર જીવન શિક્ષણ છે જે વિદ્યાર્થી અવસ્થામાં જ આચરણમાં રોપી શકાય.
શિક્ષણમાં શ્રમયજ્ઞનો અપાર મહિમા હતો પણ હળવી મહેનતને બાળ મજૂરી ગણવી કેટલી વ્યાજબી ? ડો નાનકભાઈ ભટ્ટ

Recent Comments