રાષ્ટ્રીય

શિમલાની સંજૌલી મસ્જિદ વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારના મંત્રી અનિરુદ્ધ સિંહનું મોટું નિવેદન”કાયદા હેઠળ તમામ લોકોનું પોલીસ વેરિફિકેશન ચોક્કસપણે કરવામાં આવશે”

શિમલાની સંજૌલી મસ્જિદ પર હંગામો અને તણાવ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આંદોલનકારીઓ રાજ્યમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અને બહારના લોકોની ચકાસણીની માંગ કરી રહ્યા છે. રાજકીય સંઘર્ષ પણ તેજ બની રહ્યો છે. વિપક્ષ શાસક પક્ષને ઘેરી રહ્યો છે. દરમિયાન ગુરુવારે સરકારના મંત્રી અનિરુદ્ધ સિંહે કહ્યું છે કે કાયદા હેઠળ તમામ લોકોનું પોલીસ વેરિફિકેશન ચોક્કસપણે કરવામાં આવશે. સરકાર બહારથી આવતા ફેરિયાઓ માટે કાયદો લાવી રહી છે. યોગ્ય સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન બનાવવો જાેઈએ. આ દરમિયાન બુધવારે યોજાયેલા પ્રદર્શનને લઈને તેમણે કહ્યું કે તેમાં ભાજપના લોકો સામેલ છે, જે વીડિયોમાં જાેવા મળી રહ્યા છે.

મસ્જિદ વિવાદ વચ્ચે, ગુરુવારે સ્થાનિક મુસ્લિમ કલ્યાણ સમિતિએ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને ગેરકાયદેસર ભાગ સીલ કરવા જણાવ્યું છે. કોર્ટના આદેશ મુજબ તેને તોડી પાડવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. આ સમિતિમાં મસ્જિદના ઈમામ, વક્ફ બોર્ડના સભ્યો અને મસ્જિદ પ્રબંધન સમિતિનો સમાવેશ થાય છે. સમિતિએ મેમોરેન્ડમમાં કહ્યું છે કે આ વિસ્તારમાં રહેતા મુસ્લિમો રાજ્યના કાયમી રહેવાસી છે. ભાઈચારો જાળવવા સમિતિ આ પગલું ભરી રહી છે. કમિટીના સભ્યએ કહ્યું કે અમે મસ્જિદના અનધિકૃત ભાગને તોડી પાડવા માટે કમિશનર પાસે મંજૂરી માંગી છે. અમારા પર કોઈ દબાણ નથી. અમે અહીં દાયકાઓથી રહીએ છીએ. આ ર્નિણય હિમાચલી તરીકે લેવામાં આવ્યો છે. અમે શાંતિથી જીવવા માંગીએ છીએ.

Related Posts