હાલ સમગ્ર ગુજરાત રાજયમાં શિયાળાની ઠંડીએ જોર પકડયું છે ત્યારે આવી કડકડતી શિયાળાની ઠંડીમાં જગતનો તાત રાત્રે પાણી વાળવા માટે પણ મજબુર બન્યો છે , ઠંડીનો પારો જેમ – જેમ નીચે ઉતરતો જાય છે તેમ તેમ ગુજરાતના ખેડુતને પોતાના જીવના જોખમે રાત્રે પોતાના ખેતરે પાણી વાળવું પડે છે , ખેડુતોને રાત્રે પાણી વાળવા માં એક બાજુ રાની પશુઓનો ભય રહેલો છે અને બીજી બાજુ શિયાળાની હાડ થીજવતી ઠંડી થી પોતાના જીવનું જોખમ રહેલુ છે . ખરેખર જો આપની સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદના ધરાવતી હોય તો તત્કાલ સમગ્ર ગુજરાત રાજયમાં શિયાળાની કડકડતી ઠંડીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ભલામણ કરતાં અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી.
શિયાળાની ઠંડીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની ભલામણ કરતાં અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

Recent Comments