ભાવનગર

શિવકુંજ આશ્રમ જાળિયામાં સોમવારે યોજાશે યજ્ઞ

અયોધ્યા મંદિર પ્રતિષ્ઠા વિધિ સાથે શ્રી રામચંદ્રજીનો સંદેશ સૌના જીવનમાં ઉતરે – શ્રી વિશ્વાનંદ માતાજી શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં સોમવારે યોજાશે યજ્ઞ જાળિયા શનિવાર તા.૨૦-૧-૨૦૨૪અયોધ્યા મંદિર પ્રતિષ્ઠા વિધિ સાથે શ્રી રામચંદ્રજીનો સંદેશ સૌના જીવનમાં ઉતરે તેવો સંદેશો શ્રી વિશ્વાનંદ માતાજીએ આપ્યો છે. આ પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળીયામાં સોમવારે યજ્ઞ યોજાશે.

ભારતવર્ષના ઐતિહાસિક શ્રી રામજન્મભૂમિ મંદિરમાં શરૂ થયેલ પ્રતિષ્ઠા વિધિ શરૂ થઈ છે. આ પ્રસંગે શ્રી   શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીએ રાજીપા સાથે આપેલા સંદેશામાં જણાવ્યું છે કે, અયોધ્યા મંદિર પ્રતિષ્ઠા વિધિ સાથે શ્રી રામચંદ્રજીનો સંદેશ સૌના જીવનમાં ઉતરે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય. ભગવાન રામચંદ્રજીના જન્મોત્સવ વખતે જે આનંદ અને ભાવ સર્જાયો હશે તે અત્યારે અનુભવાઈ રહ્યાનું જણાવ્યું અને ઘરે ઘરે આ ઉત્સવ મનાવાઈ રહ્યાનો આનંદ વ્યક્ત કર્યો છે.શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં અયોધ્યા મંદિર પ્રતિષ્ઠા વિધિ પ્રસંગે સોમવારે વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞનું આયોજન થયું છે.

Related Posts