ભાવનગર

શિવકુંજ આશ્રમ જાળિયા તિથિ ૧૦૭ ગામ બટુક ભોજન

શ્રી ગોપાલગીરીબાપુની પૂણ્યતિથિ નિમિત્તે ૧૦૮ કરતાં વધુ ગામોમાં બટુક ભોજન શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા આસપાસના ગામો માટે થયું આયોજનજાળિયા મંગળવાર તા.૩-૧૦-૨૦૨૩શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાના આયોજન સાથે શ્રી ગોપાલગીરીબાપુની પૂણ્યતિથિ નિમિત્તે૧૦૮ કરતાં વધુ ગામોમાં બટુક ભોજન કરાવવામાં આવી રહ્યું છે.શ્રી વિશ્વાનંદ માતાજીના સંકલન સાથે શ્રી ગોપાલગીરીબાપુની પૂણ્યતિથિ ભાદરવા વદ ૭ ગુરુવાર તા.૫ના ઉજવવામાં આવશે. આ તિથિ પ્રસંગે અગાઉથી જ ત્રણ દિવસ મંગળ, બુધ તથા ગુરુવાર દરમિયાન આજુબાજુના વિસ્તારના ૧૦૮ ગામોમાં બટુક ભોજન કરાવવામાં આવી રહ્યું છે. જો કે ૧૦૮ ગામના સંકલ્પ કરતાં વધુ ગામોમાં આંગણવાડી, પ્રાથમિક તેમજ માધ્યમિક શાળામાં આ પ્રસાદ વિતરણ કરાવવામાં આવી રહ્યું છે. શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા આ બટુક ભોજન માટે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે સેવા કાર્ય થઈ રહ્યું છે.

Related Posts