શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લીમીટેડનાં સૌજન્યથી આજરોજ ભાલ વિસ્તારનાં કાળાતળાવ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી. જેમાં ૨૮૧ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દ્વારા મળેલ મેડીકલ વેનના વિશેષ ઉપયોગથી બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી, શ્રી અંકિતાબહેન ભટ્ટ, શ્રી રેખાબહેન ભટ્ટ,શ્રી કમલેશભાઈ વેગડ, શ્રી દીપાબહેન જોષી તથા નિરમા લીમીટેડના એડ્મીન ઓફીસનાં શ્રી મેહુલભાઈ ભટ્ટ અને ગામનાં સરપંચશ્રી વાલીબહેન પરમાર તથા આચાર્યશ્રી મહેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનું સંકલન શ્રી હિનાબહેન ભટ્ટ અને શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતું.
Recent Comments