ભાવનગર

શિશુવિહાર દ્વારા નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ગણેશગઢ ખાતે આરોગ્ય શિબિર યોજય

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી તા.૨૨ ઓગષ્ટ  ૨૦૨૩  નાં રોજ ભાલ વિસ્તારનાં ગણેશગઢ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમાં ૨૪૩ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દ્વારા મળેલ મેડીકલ વેનનો વિશેષ ઉપયોગ થી બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.

આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ. આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડૉ અરવિંદભાઈ ત્રિવેદી , અંકિતાબહેન ભટ્ટ ,રેખાબહેન ભટ્ટ, કમલેશભાઈ વેગડ, ગૌતમભાઈ બારૈયા તથા નિરમા લિમિટેડ એડમીન ડિપાર્ટમેન્ટના મેહુલભાઈ ભટ્ટ તથા  ગામનાં સરપંચ નાથાભાઈ તથા આચાર્ય હિરણભાઈ  ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ..આ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક  રાજુભાઈ મકવાણાએ કર્યું હતું..

Related Posts