શ્રી ગૌરવભાઈ રાઠોડ.રક્ષાબહેન ભટ્ટ. વિપુલભાઈ વાળા .તથા સંકેતભાઈ ભટ્ટ ની સમાજ ઉપયોગી સેવા ને લક્ષમાં રાખી તેઓનું વિશેષ અભિવાદન .. ભાવનગર યુવરાજશ્રી તથા સંસ્થાના પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું… શિશુવિહાર દ્વારા વર્ષ ૧૯૫૪ માં તૈયાર થયેલ એને ૧૦૦૦૦૦ કરતા વધુ નકલ માં પ્રકાશિત નવધાભક્તિ પુસ્તિકા નું ઈ-બુક તરીકે નવ સંસ્કરણ સંસ્થાની વેબસાઈટ પર લોન્ચ કરવામાં આવ્યું… નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ની ચોથી પેઢી ના વારસદાર તરીકે જયવીરરાજસિંહ એ નેક નામદાર મહારાજા દ્વારા શિશુવિહાર ને આપવામાં આવેલ જમીન.. અને ભાવનગર રાજ્ય સોંપાતા સમયે સરદાર વલ્લભભાઈ પટેલે જે મંચ ઉપરથી ભાવનગર રાજ્ય સ્વીકાર્યું હતું તે ઐતિહાસિક જગ્યા ની પણ મુલાકાત લીધી હતી..તેમજ પ્રજાવત્સલ રાજવી ની શીખ શિશુવિહારે સ્વરાજ પછી પણ નિભાવી તે વાતે આનંદ વ્યક્ત કર્યો હતો…. શિશુવિહાર પરિવારના આપ્તજન શ્રી રક્ષાબેન ભટ્ટના સંકલન સાથે યોજાયેલ સાંસ્કૃતિક સમારોહ નું આયોજન શ્રી હરીશ ભટ્ટ. કમલેશભાઈ વેગડ. દ્વારા થયુંહતું… ભોજન બાદ સંપન્ન થયેલ કાર્યક્રમ માં આભાર દર્શન સંસ્થાના મંત્રી ડો નાનકભાઈ ભટ્ટ એ કર્યું હતું……..
શિશુવિહાર પ્રાંગણમાં છેલ્લા ૮૩ વર્ષથી યોજાતા હોળી પર્વ પ્રસંગે ભાવનગર યુવરાજ શ્રી જયવિર રાજ સિંહજી ની અધ્યક્ષતા માં વ્યાયામ નિદર્શન કાર્યક્રમ યોજાયો.

Recent Comments