ભાવનગર વર્ગ ખંડમાં શિક્ષક દ્વારા ભણાવાતા વિષયો વિધાર્થીનાં મસ્તિષ્કમાં યાદ-દાસ નથી ટકતા. પરંતુ ઉનાળાની રજાઓમાં ગ્રીષ્મ તાલીમવર્ગમાં જાતે શીખેલ સ્કેટિંગ , ચિત્ર , ક્રાફટ , મહેંદી , બ્યુટીપાર્લર , ગ્લાસપેઇન્ટિંગ ની આવડતો જીવનભર નો સહયોગ બને છે. પુસ્તક અને ભાષાનાં ભારણ વીના શિશુવિહાર પ્રાંગણમાં 1940 થી સાતત્ય પુર્ણ રીતે ચાલતા પ્રથમ સમરકેમ્પ માં 145 વિધાર્થીઓ તાલીમ મેળવી રહ્યાં છે.ઉર આશા ઝવેરી ફાઉન્ડેશનનાં સહયોગથી પ્રતિવર્ષ યોજાતી તાલીમ સાથે વિધાર્થીઓને સ્કાઉટ અને આપતી નિવારણ પ્રકારે જીવન ઉપયોગી તાલીમ આપવામા આવી છે.
નવી પેઢી ભારતની પ્રચલિત શાંતિપ્રિય રમતો રમે અને સમૂહ જીવનનો આંનદ મેળવે તે માટે ક્રીડાગણ તાલીમ સાથે જોડાયેલ સર્વાંગી શિક્ષણનો બીજા વર્ગ તારીખ.14 મે થી શરૂ થનાર છે જેમા જાગ્રત વાલીઓને પોતાના બાળકોને મોકલવા નિમંત્રણ છે.
Recent Comments