જિલ્લા યુવા વિકાસ અધિકારી તથા જિલ્લા રમત-ગમત કચેરી, ભાવનગરનાં ઉપક્રમે શિશુવિહાર સંસ્થાના પરિસરમાં તા.૧૩ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચસ્તરીય તેમ ત્રણ વિભાગમાં ૨,૦૦૦ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
ભાવનગર શહેરનાં વિદ્યાર્થીઓ પોતાની કલા સૂઝને પ્રદર્શિત કરી શકે અને ઉચ્ચ સ્તરે પહોચી શકે તે માટે આ કાર્યક્રમમાં અભિનય, સમૂહગીત, ચિત્રકલા, કાવ્ય લેખન જેવાં વિવિધ ૧૩ ઇવેન્ટમાં કાર્યક્રમો ભાવનગર શહેરનાં મેયરશ્રી કિર્તીબાળા દાણીધારીયા તથા કમિશ્નરશ્રી એન.વી. ઉપાધ્યાય અને રમત- ગમત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.જેનું સમગ્રતયા સંચાલન જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશભાઈ મેસવાણીયાએ કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેનાર તમામ વિધાર્થીઓને શિશુવિહાર પરિસરની પ્રવૃતિઓથી વાકેફ કરવામાં આવ્યાં હતાં.
Recent Comments