શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લીમીટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં સનેસ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમા ૩૨૫ ગ્રામજનોની આરોગ્ય તપાસ , ચશ્મા વિતરણ તથા આ જ ગામની પ્રાથમિક શાળાનાં બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , શ્રી રમેશભાઈ પરમાર , શ્રી રેખાબહેન ભટ્ટ , શ્રી પ્રીતિબહેન ભટ્ટ , શ્રી દીપાબહેન જોષી તથા નિરમા લીમીટેડ નાં શ્રી કલ્પેશભાઈ પટેલ અને ગામનાં સરપંચશ્રી મંજુબહેન ચુડાસમા તથા આચાર્ય શ્રી જયેશભાઈની ઉપસ્થિતિ માં યોજવામાં આવેલ.. આ કાર્યક્રમનું સંકલન શ્રી હિનાબહેન ભટ્ટ , તથા શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતુ..
શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લીમીટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં સનેસ ગામ ખાતે આરોગ્ય શિબિર

Recent Comments