ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી તા.૧૭ જુલાઇ ૨૦૨૩ નાં રોજ ભાલ વિસ્તારનાં ભડભીડ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. જેમાં ૧૯૪ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે વાઘ બકરી ટી પ્રોસેસિંગ યુનિટ દવારા મળેલ મેડીકલ વેનનો વિશેષ ઉપયોગ થી બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.
આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દવારા શાળાને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ. આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી , શ્રી અંકિતાબહેન ભટ્ટ , શ્રી રેખાબહેન ભટ્ટ , શ્રી કમલેશભાઈ વેગડ,શ્રી યોગેશભાઈ શાહ તથા નિરમા લિમિટેડ એચ.આર ડિપાર્ટમેન્ટના શ્રી જગદીશભાઈ મહેતા તથા ગામનાં સરપંચ શ્રી જડીબેન શિયાળીયા તથા આચાર્ય શ્રી દિનેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ..
આ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતું..
Recent Comments