ભાવનગર

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ ૪૪૦ અને ૪૪૧ માં નેત્રયજ્ઞ દ્વારા ૧૩૧ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા ૧૩૧ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી          શ્રી બાબુલભાઈ પ્રિયવદન વ્હોરાના સૌજન્ય થી સ્વ. જ્યોતિબહેન નલીનકાંત ઓઝાની સ્મુતિમાં ૪૪૦ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ  શ્રી હસમુખભાઈ દામોદરભાઈ સરવૈયાનાં સૌજન્ય થી ૪૪૧ મો નેત્રયજ્ઞ તારીખ.૨૪ જુને શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૩૧ દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. મહાજન સાહેબ ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ.  મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ  30 દર્દીઓને કેટ્રેક સર્જરી માટે  .. તેમજ દર્દીઓના ૨૪  સહાય કોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા. દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી

Related Posts