શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા 133 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા 133 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી સ્વ. ગુણવંતરાય વડોદરિયાની સ્મૃતિમાં શ્રી સુનિલભાઇ વડોદરિયાની ઉપસ્થિતિમાં 453 A મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ સ્વ. નલિનકાન્ત મુકુંદરાય ઓઝાની સ્મૃતિમાં શ્રી બાબુલભાઈ પ્રિયવદનભાઈ વ્હોરાના સૌજન્ય થી 453 B મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ.23 ડિસેમ્બરનાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 133 દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. શ્રુતિબહેન ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ. મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ 20 દર્દીઓને કેટ્રેક સર્જરી માટે તેમજ દર્દીઓના 12 સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા.
તેમજ સ્વ. નલિનકાંત મુકુંદરાય ઓઝાના સૌજન્ય થી 453 B પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 17 દર્દી ઓને તા.26 ડિસેમ્બરના રોજ કેટ્રેક સર્જરી માટે લઈ જવામાં આવશે..દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ 1968 થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી
Recent Comments