ભાવનગર

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 143 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 143 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી.

સ્વ. હિરાલક્ષ્મી ચંદ્રશંકર મહેતાની સ્મૃતિમાં  શ્રી માલવીકાબહેન સુરેશભાઈ મહેતાની ઉપસ્થિતિમાં 456 મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ સ્વ. જુબેદાબહેન જૈનુદિનભાઈ વલીની સ્મૃતિમાં શ્રી શબનમબહેન કુતુબભાઈ કપાસીની ઉપસ્થિતિમાં  457 મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ.24 ફ્રેબ્રુઆરી નાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.

ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં 143 દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. શ્રુતિબહેન  ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ.  મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ  36 દર્દીઓને કેટ્રેક સર્જરી માટે  તેમજ દર્દીઓના 15 સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા. 

દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ 1968 થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી.

Related Posts