ભાવનગરનાં શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર શ્રી કાંતિસેનભાઈ શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે ઘોઘાની ગોધા અંગ્રેજી શાળાના વિદ્યાર્થીઓ માટે શિશુવિહાર સંસ્થા દ્વારા આજરોજ ૩૫૦ વિદ્યાર્થીઓ માટે આપત્તિ નિવારણ (ફર્સ્ટ એઇડ તાલીમ) યોજાઈ હતી.
વાઘ બકરી ટી ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં શ્રી હરેશભાઈ ભટ્ટ,શ્રી અનંતભાઇ ઠાકોર તથા શ્રી કરણભાઈ ઠાકોર દ્વારા ઇમર્જન્સી મેથડ, સ્ટેચર, પાટા, ફર્સ્ટ એઇડ, દોરડાની વિવિધ ગાંઠ પ્રકારે આપતી નિવારણ અને પ્રાથમિક સારવાર અંગેની સમજનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને શિશુવિહાર તરફથી “બાળ આરોગ્ય સૂત્ર” પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી. શાળાનાં આચાર્યશ્રી સંજયસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન શ્રી નિકુલભાઇ મહેતા તથા રાજુભાઈ મકવાણાએ કર્યું હતું.
Recent Comments