બોલિવૂડ

શીઝાનની બહેનોએ તુનિષા શર્માની મોતના મામલે કર્યા મોટા ખુલાસા

તુનિષા શર્માની મોતના મામલે ફસાયેલ તેનો કો-એક્ટર શીઝાન ખાનના બચાવમાં પહેલીવાર તેની બહેનો અને માતાએ મીડિયા સાથે વાત કરી છે. અત્યાર સુધી આ તમામ મામલે તુનિષાના પરિવાર તરફથી ઘમી વાતો સામે આવી રહી હતી, પરંતુ હવે શીઝાને આ કેસમાં ફસાયા બાદ શીઝાનની માતા અને બંને બહેનો પહેલીવાર મીડિયા સામે આવી અને તેમણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. શીઝાનની બહેન ફલક નાઝે સ્પષ્ટ કર્યુ કે, તુનિષા કામ કરવા નહતી માંગતી, તે ફરવા માંગતી હતી. પરંતુ તેની પાસે જબરદસ્તી કામ કરાવવામાં આવી રહ્યુ હતું. સાથે પરિવારે એ પણ કહ્યુ કે જે શીઝાન પર તુનિષાને દગો આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, તે પહેલાથી જ અલગ થઈ ચુક્યા હતાં, પરંતુ સંબંધ તૂટ્યા બાદ પણ બંને સારા મિત્રો હતાં. તુનિષાની મોત વિશે શીઝાનનું નામ સામે આવ્યા બાદ બહેન ફલક નાઝ અને શફાક નાઝ, માતા કહકશાં ખાન અને આરોપી શીઝાનના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ મીડિયા સામે આવીને પોતાનો પક્ષ રાખ્યો. ચાલો જણાવીએ કે આ પ્રેસ કોન્ફરન્સમાં શીઝાનના પરિવારે કઈ પાંચ વાતોનો ખુલાસો કર્યો.

શીઝાનની બહેન ફલક નાઝે સાફ શબ્દોમાં કહી દીધું કે- હું સ્પષ્ટતા કરી દઉ કે તુનિષા કામ કરવા નહતી માંગતી. તેણીને ફરવાનું પસંદ હતું. તેણી દુનિયાભરમાં ફરવા માંગતી હતી. તેણી પહેલીવાર અમારી સાથે ફરવા આવી હતી. તેણી પહેલીવાર અમારી સાથે દરિયાકાંઠે આવી હતી. મારો તુનિષા સાથે બહેનનો સંબંધ હતો, લોહીનો નહતો, પણ લાગણીનો સંબંધ હતો. શીઝાનના પરિવારનો દાવો છે કે તુનિષા ૨૧, ૨૨ અને ૨૩ ડિસેમ્બર ૨૦૨૨એ પોતાના ઘરે નહતી ગઈ અને તે દિવસે શીઝાન ખાન સાથે વાત પણ નહતી થઈ. તે બંને અલગ થઈ ગયા હતાં, છતાં ખૂબ જ સારા મિત્રો હતાં. સાથે જ તેણીએ કહ્યુ કે તુનિષા જેટલા દિવસ પણ સાથે હતી, હંમેશા ખુશ રહી છે. શીઝાનના પરિવારજનોએ તુનિષાના કથિત મામા પવન શર્મા પર ગંભીર સવાલ કર્યા છે.

તેમણે કહ્યુ કે તુનિષાની માતા અને તેણીના મામા પવન શર્મા એક્ટ્રેસના મેનેજર પણ રહી ચુક્યા છે. પરંતુ તે તુનિષા સાથે એટલા કઠોર હતાં કે તેમને ૪ વર્ષ પહેલા જ કામથી અલગ કરી દેવામાં આવ્યા હતાં. શીઝાનની બહેનોએ સ્પષ્ટતા કરી કે આ પૂરા મામલાને લવ જિહાદ સાથે પણ જાેડવામાં આવી હતી, જેને પોલીસે પહેલા જ નકારી દીધો છે. પરિવારજનોએ કહ્યુ કે અમારી ઉપર તુનિષાને હિજાબ પહેરાવવા અને ઉર્દુ શીખવાડવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

તેના પર તેમણે કહ્યુ કે જે ફોટો વાયરલ થઈ રહ્યો છે, તે તેમના શૂટિંગ સમયનો છે. જેમાં એક્ટ્રેસે તે જ કપડાં પહેરેલા છે. ૨૧માં એપિસોડને જાેઈ લેજાે. તેણીના જે કપડા હતાં તે ગણેશ ચતુર્થીના દિવસે શૂટ થયેલા છે. તેણીએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો પણ બતાવ્યો. શીઝાનના પરિવારે ઈન્સ્ટાગ્રામ પોસ્ટની પ્રિન્ટઆઉટ બતાવતા દાવો કર્યો છે કે આ તુનિષાએ પોતે ૩ સપ્ટેમ્બર ૨૦૨૨એ અપલોડ કર્યો હતો અને લખ્યુ હતું- હેપ્પી ગણેશ ચતુર્થી…આ સેટ તરફથી છે…શૂટ માટે હિજાબ પહેર્યો છે.

Related Posts