ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ સંસ્થામાં રોજ જીવદયા પ્રેમી પરેશભાઈ શાહ દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેઓ દ્વારા જીવદયા પ્રાણી માત્રની રક્ષા માટે હરતી ફરતી એમ્બ્યુલન્સ સાથે આવ્યા હતા. સમસ્ત મહાજન સમાજ દ્વારા જીવદયા માટે આ પ્રવૃત્તિ કરવામાં આવે છે.પ્રાણી માત્ર પ્રત્યે જીવ દયા રાખવી, સેવાનો ભાવ રાખવો મા બાપની સેવા કરવી, વગેરે બાબતો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી. બાદમાં યોજાયેલી પ્રશ્નોત્તરીમાં વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. જીવદયા માટે ઉમદા કાર્ય કરવા બદલ નિયામક શ્રી લાલજીભાઈ સોલંકીનુ મહેનમાનઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
શેત્રુંજીડેમ સંસ્થા ખાતે જીવદયા અને પ્રાણી માત્રની રક્ષાની પ્રેરણા આપતો કાર્યક્રમ યોજાયો

Recent Comments